મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા
મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પુત્રને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો આદ્રોજા પરિવાર
SHARE
મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પુત્રને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો આદ્રોજા પરિવાર
મોરબીમાં *lઆઠ દીવસ પૂર્વે અકસ્માતમાં અવસાન પામેલ સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજાના સ્મરણાર્થે સેવાકાર્ય થકી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો આદ્રોજા પરિવાર.વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.તે અંતર્ગત તાજેતરમાં માર્ગ અકસ્માતમાં અવસાન પામનાર સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજા (ઉ.વ.૧૮) ના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા સદ્ગતના આત્માના શાંતિ અર્થે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.આ તકે શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજાને શ્રધ્ધાંજલિ પાઠવી હતી