મોરબી જિલ્લામાં વિવિધ ગામોમાં આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે સાફ- સફાઈ કરાઈ
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહ યોજાયો
SHARE
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહ યોજાયો
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વિતા અભિવાદન સમારોહનું મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામધામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નિલાંબરીબેન દવે, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, એડવોકેટ એચ.એલ. અજાણી તથા મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે ધો. ૧ થી કોલેજ સુધીના ૧૬૦ વિધાર્થીઓને શિલ્ડ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કેજી ના ૧૦૦ વિધાર્થીઓને કિટ તેમજ સન્માનપત્ર આપવામાં આવ્યા હતા તેમજ માર્કશીટ જે વિદ્યાર્થીઓએ આપી હતી તે તમામ વિધાર્થીઓને પ્રોત્સાહક પારિતોષિક આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમની ભુમિકા આપતા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ બ્રાહ્મણોના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની સાથે તેમાં રહેલા આઇકયુ, ઇકયુ અને એસકયુ ના સમન્વયથી સફળતા પ્રાપ્ત કરવાનું આહ્વાન કર્યું હતું. આ અવસરે ઉપસ્થિત નિલાંબરીબેને પોતાના મોરબી સાથેના સંસ્મરણો તાજા કરી બ્રાહ્મણોને શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા કારકિર્દી બનાવવા તથા શિક્ષણ સાથે સંસ્કારો અને સ્કિલ ડેવલપમેન્ટના સમન્વયથી એક બની કાર્ય કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી મિલેશભાઈ જોશી, કમલભાઈ દવે, કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઈ જોશી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કૃપાનીબેન પાઠક, દિશાબેન મહેતા અને નિશાબેન દવેએ કર્યું હતુ.