મોરબીમાં કરિયાવર બાબતે પરિણીતાને ત્રાસ આપીને મારવા મજબૂર કરનારા પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો
મોરબીના વિજયનગરમાં યુવાને અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીના વિજયનગરમાં યુવાને અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ વિજયનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત થયું હતુ ત્યારબાદ તેના મૃતદેજને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વિસીપરા અંદર આવેલ વિજયનગરમાં રહેતા આવેશભાઈ હનીફભાઈ સુમરા (૨૦) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને ઘટના સ્થળે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે
ફિનાઇલની ગોળીઓ પીધી
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ લક્ષ્મી સોસાયટીમાં દેવ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ રાજેશભાઈ અઘારા (૪૨) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ફિનાઇલની ગોળીઓ પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એમ.જી. વાળા ચલાવી રહ્યા છે