વાંકાનેરના અમિત કોટેચા હત્યા કેસમાં સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા
SHARE
વાંકાનેરના અમિત કોટેચા હત્યા કેસમાં સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા,ગુજરાત સરકાર દ્વારા ખાસ નિમણુંક અપાઈ
વાંકાનેરમાં તા.11/9/2023ના રોજ મોડી રાત્રે 1 વાગ્યે અમરનાથ સોસાયટીના નાકે લેથવાળાની દુકાન પાસેથી અમિત ઉર્ફે લાલો અશ્ર્વિનભાઈ કોટેચા લોહીથી લથબથ હાલતમાં મળી આવેલ. તેને સારવારમાં ખસેડતા મૃત જાહેર કરાયો હતો. તપાસમાં તેના ગુપ્ત ભાગે છરી ઝીંકી હત્યા કરાયાનુ ખુલ્યુ હતુ. મૃતકના ભાઈ હિમાંશુ ઉર્ફે કાનાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબ પીપરવાળીયા અને સરફરાઝ હુશેન મકવાણા સામે ફરીયાદ આપતા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી. આ કેસમાં મૃતકના ભાઈ ફરીયાદી હિમાંશુ ઉર્ફે કાના કોટેચા દ્વારા સરકારમાં અરજી કરી આ કેસમાં ખાસ સરકારી વકીલ એટલે કે સ્પે. પી.પી.ની નિમણુંક કરવા માંગ કરાઈ હતી. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની આ કેસમાં મૃતક અને તેના પરિવારને ન્યાય અપાવવા સ્પે. પી.પી. તરીકે નિમણુંક કરાઈ હતી.