મોરબી નજીક કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થતાં બે વ્યક્તિના મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબી જીલ્લામાં અફીણના રસ સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો
SHARE
મોરબી જીલ્લામાં અફીણના રસ સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો
મોરબી જિલ્લાના માળિયા મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓરબ્રીજની નીચેના ભાગમાં આવેલ રામદેવ હોટલ ખાતે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં માદક પદાર્થ અફીણના રસના જથ્થા સાથે આરોપી પકડાયો હતો. જે અંગે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા હાલ આરોપીના વકીલે કરેલી દલીલોને આધારે કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરેલ છે
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓરબ્રીજની નીચેના ભાગમાં આવેલ રામદેવ હોટલ ખાતે પોલીસે રેડ કરી હતી ત્યારે પોલીસે ૧૪૫ ગ્રામનો માદક પદાર્થ અફીણના રસનો જથ્થા (ઓપીયમ આલ્કોલાઈડ) સાથે આરોપી વેહનારામ દલારામ ચૌઘરીને એનડીપીએસ એકટ ની કલમ ૮(સી), ૧૭(બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરેલ હતો અને તે આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એનડીપીએસ) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ નામ. સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી તેને ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એનડીપીએસ) તથા સેશન્સ જજ પી.સી. જોષીએ આરોપી વેહનારામ દલારામ ચૌધરીને ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરલે છે આ કેસમાં આરોપી વેહનારામ દલારામ ચૌધરીના વકીલ મનિષ ઓઝા (ગોપાલભાઈ) તથા કુ.મેનાઝ એ. ૫રમાર રોકાયેલા હતા.