મોરબી જીલ્લામાં અફીણના રસ સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો
મોરબીમાં આગામી રવિવારે પાંચમાં શૈક્ષણિક અધિવેશનનું આયોજન
SHARE
મોરબીમાં આગામી રવિવારે પાંચમાં શૈક્ષણિક અધિવેશનનું આયોજન
મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને મોરબી જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમાં સતત સુધારણા વચ્ચે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવાના ઉદેશ્ય સાથે આગામી રવિવારે તા ૧૭ ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે પાંચમાં શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શૈક્ષણિક અધિવેશનમાં શિક્ષણનાં સ્તરને ઉચ્ચકોટી તરફ લઈ જવા માટે ચિંતન તેમજ મનન કરવામાં આવશે. ત્યારે સવારે રજીસ્ટ્રેશન, ૯:૩૦ કલાકે ઉદધાટન અને ૧૦:૪૫ થી ૧:૦૦ વાગ્યા સુધી શૈક્ષણિક સત્ર યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ઉ.મા.શિ.સંઘ મહામંડળના પ્રમુખ ભરતકુમાર આર. પટેલ અધ્યક્ષ સ્થાને હાજર રહેશે. તેમજ કાર્યક્રમમાં ગુ.સ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ- ગાંધીનગરના મેમ્બર મુકેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય શાળા ઉ.મા.શિ.સંઘ- મહામંડળના મહામંત્રી સુનિલકુમાર એન. જોશી, મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયા, અજયભાઈ લોરીયા, કે.આર. પડસુંબીયા, કે.બી. ઉભડીયા સહીતના હાજર રહેવાના છે આ અધિવેશનના કન્વીનર તરીકે મોરબી સ.વ.પ. કન્યા વિદ્યાલયના મહેન્દ્રભાઈ વી. કચોટને જવાબદારી આપવામાં આવેલ છે અને આ શૈક્ષણિક અધિવેશનમાં મોરબી જીલ્લાના શિક્ષકોને ઉપસ્થિત રહેવા મોરબી જીલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જીલ્લા ઉ.મા. શિક્ષકસંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડીયા અને મંત્રી વિશાલભાઈ ગોઘાણીએ આહ્વાન કર્યું છે