મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેનો સેમીનાર યોજાયો


SHARE















વાંકાનેર ખાતે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેનો સેમીનાર યોજાયો

ઘી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા કોલેજ વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અન્વયે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયા દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને  જેન્ડર બાયસ તથા દીકરા દીકરીઓને સમાન તક મળે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, વાંકાનેર તાલુકાના પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેસીયા દ્વારા દીકરા-દીકરી વચ્ચેના ભેદ બાબતે તેમજ મતાધિકાર જાગૃતિ બાબતેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને લિંગ સમાનતા અને સંવેદના માટે સ્વ-સ્વજન-સમુદાય-સમસ્તુ કલ્યાણ બાબતે યુવાનોને સંદેશો આપવામાં આવ્યો હતો તથા જિલ્લા કક્ષાએ ચાલતા DHEW હબ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ સમજ આપવામાં આવી હતી. સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ચાનિયા દ્વારા મહિલાઓને પોલીસ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની જાણકારી આપવામાં આવી હતી. PBSC ના કાઉન્સેલરશ્રી તેજલબા ગઢવી દ્વારા સેન્ટર પર આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમાં વાંકાનેર તાલુકાના મામલતદાર સંસ્થાના ટ્રસ્ટી કલ્પેન્દુભાઈ મહેતા, કોલેજના પ્રિન્સીપાલ, પ્રોફેસર તથા બહોળી સખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓને BBBP લોગો બેગ વિતરણ કરવામાં આવી હતી.






Latest News