મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની ભોજાબાપા મકવાણા-રામબાઈ માતાજી મંદિરે આમંત્રણ પત્રિકા અપાઈ


SHARE













દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની ભોજાબાપા મકવાણા-રામબાઈ માતાજી મંદિરે આમંત્રણ પત્રિકા અપાઈ

આગામી તા. ૨૩ અનર ૨૪ ડીસેમ્બરના  રોજ દ્વારકા ખાતે આહીરાણી મહારાસ યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે ભોજાબાપા મકવાણાના મંદિરે મહારાસની આમંત્રણ પત્રીકા  આપવા માટે મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરું, ડૉ.હર્ષાબેન મોર, નીતાબેન હુંબલ, ભારતીબેન વારોતરિયા તેમજ દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે મોટા દહીસરા મુકામે  મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ અને આહીર સમાજ મોટા દહીસરાના ભાઈઓ અને બહેનો દ્વારા આવેલ મહેમાનોનુ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું આ તકે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના  સભ્યો અજયભાઈ ડાંગરરાજેશભાઈ મંઢ, વિજયભાઈ કાનગડ, વિજયભાઈ હુંબલ, પ્રદિપભાઈ કુવાડીયા, રમેશભાઈ છૈયા તેમજ વિનોદભાઈ મકવાણા વિશેષ હાજર રહ્યા હતા તેમજ વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજી ના ચરણોમા પણ આમંત્રણ પત્રીકા મૂકીને આમંત્રણ આપવામા આવ્યુ હતું ત્યારે રામબાઈ મા મંદિરધામ ટ્રસ્ટ દ્રારા પણ  ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું અને ત્યારે રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ રાઠોડ દ્વારા મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરુનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ દ્વારા ૧૧ હજારનું યોગદાન આપવામાં આવ્યું છે અને મહંત પ્રભુદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા.






Latest News