હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે અજુગતુ પગલુ ભરી જતા યુવતીનું મોત


SHARE













મોરબીના શનાળા ગામે અજુગતુ પગલુ ભરી લેતા યુવતીનું મોત

મોરબીના શનાળા ગામે રહેતા પરિવારની ૨૬ વર્ષીય યુવતી તેઓના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઈ ગઈ હતી જેથી તેણીને સારવાર માટે લઈ જવામાં આવી હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજત્તા હાલ બનાવ કયા કારણોસર બન્યો..? તે બાબતે એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા ગામે રહેતા પરિવારના લતાબેન રતિલાલ ચનાભાઇ પરમાર જાતે તુરી બારોટ નામની ૨૬ વર્ષીય યુવતી તેના ઘરે કોઇ કારણોસર ગળેટુપો ખાઈ ગયા હતા જેથી તેઓને સારવાર માટે અહિંની સિનિલે લાવવામાં આવ્યા હતા જો કે ત્યાં ટૂંકી સારવાર દરમિયાન લતાબેન પરમાર નામની યુવતીનું મોત થયુ હતું અને હોસ્પિટલ ખાતેથી આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરવામાં આવી હતી અને હાલ એડી દાખલ કરીને કયા કારણોસર લતાબેનને અંતિમ પગલું ભર્યું..? તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ભડીયાદ ગામે મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ ગામે રામદેવપીરના ઢોળા પાસે રહેતા પરિવારમાં મારામારીનો બનાવ બન્યો હતો અને રાત્રિ દરમિયાન બનેલા મારામારીના બનાવમાં ઈજા પામેલ ભારતીબેન પરિનભાઈ સાંતોલા (૩૫), નવઘણ ધનજીભાઇ સાંતોલા (૧૭) અને પરીનભાઈ સુખાભાઈ સાંતોલા (૩૫) રહે.બધા રામદેવપીરના ઢોળા પાસે ભડીયાદ સામાકાંઠે મોરબી-૨ વાળાઓને ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના વાંકડા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો નૂરસંગભાઈ નગરીયાભાઈ મોહનીયા (ઉમર ૫૫) નામનો આધેડ કોઈ અગમ્ય કારણોસર વાડી વિસ્તારમાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હાલ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News