મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે
SHARE
મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે
મોરબીના જાણીતા હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા-મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ સુધી આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર, પંચમુખી હનુમાનજી મંદિર પાછળ, ન્યુ હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે.આ નિ:શુલ્ક સેમીનારનો લાભ લેવા માટે સંસ્થાના સાગર રવિચંદભાઇ જેસ્વાણી અને ડો.હાર્દિક જેસ્વાણીએ ગર્ભવતી બહેનોને કેમ્પનો લાભ લેવા અપીલ કરેલ છે.કોઇપણ ગર્ભવતી મહિલાઓ માટે દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાવાનું આયોજન કરાયેલ છે.જેમાં ડો.નુપુર મણિયાર અને ડો.અભિષેક ભુવા સેવા આપશે સેમીનારનો લાભ લેવા માટે ડો.હાર્દિક જેસ્વાણી (મો.૯૨૨૮૮ ૦૦૧૦૮) ને ફક્ત વોટ્સએપ વડે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ સેમીનારનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છેતેમ યાદીમાં જણાવાયેલ છે.









