મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ધાડ પાડું ગેંગે મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળમાં ચોરીની કરી હોવાનું આપી કબૂલાત: ૧૭,૫૦૦ ની રોકડ કબજે કરી


SHARE















ધાડ પાડું ગેંગે મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળમાં ચોરીની કરી હોવાનું આપી કબૂલાત: ૧૭,૫૦૦ ની રોકડ કબજે કરી

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી પોલીસે ટવેરા ગાડી સાથે એમપીની ધાડ પાડું ચડ્ડીબનિયા ગેંગના ત્રણ સાગરીતોને દબોચી લીધા હતા અને તેની પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી અને આ આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા દરમ્યાન આ ગેંગ દ્વારા મોરબી તાલુકાનાં ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળને નિશાન બનાવવામાં આવ્યું હોવાની તેને કબૂલાત આપેલ છે જેથી કરીને સ્વામી નારાયણ ગુરુકુળમાં થયેલ રોકડા ૮૫ હજારની ચોરીના ગુનામાં પોલીસે હાલમાં ૧૭,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને ચોરીની આ ઘટના આ આરોપીની સાથે સંડોવાયેલા શખ્સોને પકડવા માટે પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે અને મોરબી જિલ્લા સહિત જુદાજુદા જિલ્લાઓમાં થયેલ ચોરીમાંથી ઘણા ગુનાના ભેદ ઉકેલાઈ તેવી શક્યતા છે

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટેલ નજીક થોડા દિવસો પહેલા સાઈ કાંટા પાસે ઉભેલ સેવરોલેટ કંપનીની ટવેરા કાર નંબર જીજે ૧૮ બીએચ ૪૪૭૪ ને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી બે નાના મોટા ડિસમિસલોખંડનો ગણેશિયોમાથા ઉપર પહેરવાની ટોર્ચ બત્તી, કટર વગેરે જેવા સાધનો અને હથિયાર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૧.૧૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને બેઠેલા શખ્સોમાંથી કૈલાશભાઈ પારસિંગ ભુરીયા જાતે આદિવાસી (૩૧)પિયારસિંગ ઉર્ફે ભગત રણજિત વસુનીયા જાતે આદિવાસી (૪૫) અને જયદીપ રણુભાઈ બામણીયા જાતે આદિવાસી (૨૪) રહે. ત્રણેય મધ્ય પ્રદેશ વાળાની ધરપકડ કરેલ હતી જે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે અને જે તે સમયે પોલીસને ચકમો આપીને વિજય રૂપસિંગ ભુરીયામુકેશ દલસિંગ અમલીયારપપ્પુ બુલુર આદિવાસી અને ભાયા નકતા આદિવાસી નાશી ગયેલ છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

દરમ્યાન મોરબી નજીકના ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળને નિશાન બનાવીને ત્યાં ચોરી કરી હોવાની આ ગેંગના પકડાયેલા ત્રણ સાગરીતોએ કબૂલાત આપી હતી જેથી મોરબી તાલુકા પોલીસે મુળ વેજલપરના રહેવાસી અને હાલમાં મોરબીના અક્ષરધામપાર્કમાં રહેતા અને સેવાપૂજા કરતાં ઇશ્વરભાઇ કરશનભાઇ કૈલા જાતે પટેલ (૬૪)ની ચોરીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરી હતી અત્રે ઉલેખનીય છે કે, સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ ગુરૂકુળમાં અજાણ્યા છ ચોર ગત તા ૨૫/૧૨ ના રોજ સ્કુલ બિલ્ડીમાં રાત્રીના સમયે આવ્યા હતા જે ત્યાના સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ છે અને સ્કુલ બિલ્ડીંગમાં ઓફીસની બારી તોડીને વિદ્યાર્થીઓની સ્કુલ ફીના રોકડ ૮૫,૦૦૦ ની ચોરી કરી હતી જે ગુનાની હાલમાં પકડાયેલ એમપીની આ  ચડ્ડીબનિયા ગેંગના ત્રણ સાગરીતોએ કબૂલાત આપી હતી જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૭,૫૦૦ ની રોકડ કબજે કરેલ છે અને આ શખ્સોની સાથે સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા શખ્સોને શોધવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે અને મોરબી જિલ્લા સહિત જુદાજુદા જીલ્લામાં છેલ્લા મહિનાઓમાં થયેલ ચોરીની ઘટનાઓમાંથી ઘણા ગુનાના ભેદ ઉકેલાઈ તેવી હાલમાં શક્યતા દેખાઈ રહી છે






Latest News