મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના એક જ પરિવારના ત્રણ લોકોના મુળી નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE















મોરબી જિલ્લાના એક જ પરિવારના ત્રણ લોકોના મુળી નજીક માર્ગ અકસ્માતમાં મોત


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ લાકડધાર ગામના રહેવાસી એક જ પરિવારના ત્રણ લોકોના સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટીકર ગામેથી સડલા જતા રસ્તે વાહન અકસ્માતના બનાવમાં નોત નિપજયા છે આગળ જતાં ડમ્પરની પાછળ અલ્ટો કાર અથડાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયેલા છે અને એક ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ટીકર ગામેથી સડલા ગામ જતા રોડ ઉપર આજે તા.૧૭-૧-૨૪ ના રાત્રીના ૧:૩૦ વાગ્યાના અરસામાં લાકડદા ગામ તા.વાંકાનેર જી.મોરબી બાજુથી મુળી તરફ આવી રહેલ અલ્ટો કાર નંહયબક GJ 36 B 3215 વાળી આગળ જતા ડમ્પર નંબર GJ 17 UU 8251 ના પાછળના ભાગે અથડાતા અલ્ટો કારમાં રહેલા ત્રણ લોકોના સ્થળ ઉપર મોત થયા હતા.અને એક સીરીયસ હોય તેને સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે. તેમજ એક બાળક આશરે પાંચ-છ વર્ષનો હતો જેનો આબાદ બચાવ થયેલ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં કરમશીભાઇ ખોડાભાઇ ડાભી જાતે કોળી (ઉ.વ.આ.૫૫), પાંચુબેન કરમશીભાઇ ડાભી (ઉ.વ.આ.૫૧) અને મહેશભાઇ કરમશીભાઇ ડાભી (ઉ.વ.આ.૩૦) રહે.લાકડધાર તા.વાંકાનેર જી.મોરબી હોવાનું અને ઇજા પામનારનું નામ રોહિતભાઇ રમેશભાઇ દુમાદીયા (ઉ.વ.આ.૨૧) ને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે.બનાવની જાણ થતા સ્થાનીક પોલીસ અધિકારીઓ તુરત સ્થળ પર પહોંચી ગયેલ અને જરુરી મદદ-કાર્યવાહી કરેલ હતી. રોડ ઉપર વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ છે. અને આગળની પોલીસ કાર્યવાહી ચાલુ છે.


લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પંથકમાં ખનીજ ચોરી કરતા ભારે વાહનો બેફામ ગતિએ દોડતા હોય છે અને તેના ઉપર લગામ લગાવવામાં આવે તે જરૂરી છે.આ અકસ્માત બનાવમાં ત્રણ નિર્દોષોના મોત નિપજયા છે તેનું જવાબદાર કોણ..?






Latest News