કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીનાની હાજરીમાં મોરબીના કોયલી ગામે સરકારી કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ
SHARE
મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ
આગામી તા ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે મોરબી જિલ્લામાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે અને તે મુદે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે હિન્દુ યુવા વહીનીના આગેવાન કે.બી. બોરીચાએ જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા ધાર્મિક પ્રસંગને ઉજવવામાં આવશે અને આસરે ૪ લાખ કારસેવકોએ મંદિર હેતુ પોતાના પ્રાણની આહુતિ આપી છે. ત્યારે જીલ્લામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ૨૨ જાન્યુઆરીએ નોનવેજ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે