વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ


SHARE







મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ

આગામી તા ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે મોરબી જિલ્લામાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે અને તે મુદે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે હિન્દુ યુવા વહીનીના આગેવાન કે.બી. બોરીચાએ જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા ધાર્મિક પ્રસંગને ઉજવવામાં આવશે અને આસરે ૪ લાખ કારસેવકોએ મંદિર હેતુ પોતાના પ્રાણની આહુતિ આપી છે. ત્યારે જીલ્લામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ૨૨ જાન્યુઆરીએ નોનવેજ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે






Latest News