મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી લોહાણા મહાજન પ્રમુખ સહિતના આગેવાનો રામધામનું ખાતમુહુર્ત- મહા રામયજ્ઞનું આમંત્રણ આપવા કચ્છ જીલ્લામા પહોચ્યા


SHARE













મોરબી લોહાણા મહાજન પ્રમુખ સહિતના આગેવાનો રામધામનું ખાતમુહુર્ત- મહા રામયજ્ઞનું આમંત્રણ આપવા કચ્છ જીલ્લામા પહોચ્યા

સમસ્ત રઘુવંશી સમાજ ની એકતાના પ્રતિક પવિત્ર રામધામ (જાલીડા) ખાતે યોજનાર ૧૦૮ કુંડી મહા રામયજ્ઞ તેમજ ખાતમુહુર્તનુ કચ્છ જીલ્લાના લોહાણા સમાજનાં અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ આપવા માટે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સહીતના આગેવાનો પહેઓચ્ય હતા ત્યારે ગીરીશભાઈ ઘેલાણી, વૃતિકભાઈ બારા,ભાવેશભાઈ જોબનપુત્રા, આનંદભાઈ કુંડલીયા દ્વારા સામખિયાળી, ભચાઉ, રાપર, માધાપર, ભુજ, ગાંધીધામ, નલિયા, ગઢશીશા સહીતના કચ્છ જીલ્લાના મથકોનો ૨ દીવસીય પ્રવાસ કરવામાં આવ્યો હતો.

વાંકાનેર-રાજકોટ હાઈવે પર જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર રામધામનુ વિશાળ ફલક ઉપર નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજની એકતા માટે કટીબધ્ધ એવા રામધામના સ્વપ્નદ્રષ્ટા રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા જ્યાં સુધી રામધામનું ખાત મુહુર્ત ન થાય ત્યાં સુધી અનાજ તથા કઠોડનો ત્યાગ કરવાની આકરી ટેક લેવામાં આવી હતી. ત્યારે સમગ્ર લોહાણા સમાજના સાથ-સહકારથી રામધામનું ખાતમુહુર્ત થવા જઈ રહ્યુ છે. અને પવિત્ર રામધામનું ખાત મુહુર્ત તેમજ જીતુભાઈ સોમાણીની ટેકના પારણા સહીતના કાર્યક્રમો અંતર્ગત તા.૧૬-૨ થી ૧૯-૨ દરમિયાન ૧૦૮ કુંડી મહા રામયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યુ છે.જેનું નિમંત્રણ કચ્છ જીલ્લાના લોહાણા સમાજના અગ્રણીઓને પાઠવવા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, વૃતિકભાઈ બારા, ભાવેશભાઈ જોબનપુત્રા, આનંદભાઈ કુંડલીયા સહીતના લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા બે દીવસીય કચ્છ જીલ્લાનો પ્રવાસ ખેડવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સામખિયાળી, ભચાઉ, રાપર, માધાપર, ભુજ, ગાંધીધામ, નલિયા, ગઢશીશા, માંડવી, નખત્રાણા, લખપત, અબડાસા, દયાપર, અખિલ કચ્છ જીલ્લા લોહાણા મહાજન સહીતનાં લોહાણા સમાજના આગેવાનોને રૂબરૂ નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યુ છે. વિવિધ કચ્છ ના વિવિધ મથકોએ રામધામનું આમંત્રણ પાઠવતા લોહાણા સમાજના અગ્રણીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.






Latest News