વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતો યુવાન ઘરેથી કંઇ કહ્યા વિના ગુમ, જાણ કરાતા પોલીસ તપાસ શરૂ


SHARE







મોરબીના રવાપર ગામે રહેતો યુવાન ઘરેથી કંઇ કહ્યા વિના ગુમ, જાણ કરાતા પોલીસ તપાસ શરૂ

મોરબીના રવાપર ગામે રહેતા પરિવારનો યુવાન અભ્યાસ કર્યા બાદ ટાઇલ્સ ટ્રેડીંગનું કામ કરતો હતો અને દરમિયાનમાં તે યુવાન ગઈકાલે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કયાંક ચાલ્યો ગયો હોય પરિવારજનો દ્રારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં તેનો પતો ન લાગતા અંતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી યુવાનની શોધખોળ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે આવેલા રાધે હાઇટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ ગણેશભાઈ અઘારા જાતે પટેલ (ઉમર ૫૧) નો પુત્ર રોનક કિશોરભાઇ અઘારા (ઉંમર ૨૦) કે જે અભ્યાસ કર્યા બાદ ટાઇલ્સ લે-વેચનું કામકાજ કરતો હતો. તે ગઈકાલ તા.૫-૨ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈ પણ જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે.જેથી પરિવારજનો દ્રારા શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ રોનકનો કોઈ અતો-પતો ન લાગતા અંતે ગુમ થયેલા યુવાનના પિતા કિશોરભાઈ અઘારા દ્વારા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને પોલીસ મથક ખાતે હાલ ગુમ સુધા નોંધ દાખલ કરી ને ગુમ થયેલા રોનકને શોધવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયેલ છે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ ચાવડા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મૃતક માતાની યાદ આવતા દવા પી ગયેલ પરણીતા સારવારમાં

મોરબીના જુના સાદુરકા ગામે ભાવેશભાઈ મેઘજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના જમનાબેન રાહુલભાઈ રણજીતભાઈ નાયકા જાતે આદિવાસી (ઉમર ૨૦) નામની પરિણીતા તા.૩૦-૧ ના સાંજે સાતેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી ગઈ હોય તેને અસર થતા અત્રે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી તેણીનો લગ્નગાળો એક વર્ષનો હોય અને સંતાન ન હોય હાલ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી પીએસઆઇ બી.એ.ગઢવીએ તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે ભોગ બનેલ જમનાબેનના માતાનું થોડા સમય પહેલા અવસાન થયેલું હોય અને તેઓના મૃતક માતાની યાદ આવતા લાગણીસભર થઈને તેઓએ ભૂલથી ઝેરી દવાયુક્ત ગ્લાસમાં પાણી પી લીધું હતું જેથી તેણીને અસર થઈ હતી.






Latest News