મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતો યુવાન ઘરેથી કંઇ કહ્યા વિના ગુમ, જાણ કરાતા પોલીસ તપાસ શરૂ


SHARE















મોરબીના રવાપર ગામે રહેતો યુવાન ઘરેથી કંઇ કહ્યા વિના ગુમ, જાણ કરાતા પોલીસ તપાસ શરૂ

મોરબીના રવાપર ગામે રહેતા પરિવારનો યુવાન અભ્યાસ કર્યા બાદ ટાઇલ્સ ટ્રેડીંગનું કામ કરતો હતો અને દરમિયાનમાં તે યુવાન ગઈકાલે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કયાંક ચાલ્યો ગયો હોય પરિવારજનો દ્રારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં તેનો પતો ન લાગતા અંતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી યુવાનની શોધખોળ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે આવેલા રાધે હાઇટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ ગણેશભાઈ અઘારા જાતે પટેલ (ઉમર ૫૧) નો પુત્ર રોનક કિશોરભાઇ અઘારા (ઉંમર ૨૦) કે જે અભ્યાસ કર્યા બાદ ટાઇલ્સ લે-વેચનું કામકાજ કરતો હતો. તે ગઈકાલ તા.૫-૨ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈ પણ જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે.જેથી પરિવારજનો દ્રારા શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ રોનકનો કોઈ અતો-પતો ન લાગતા અંતે ગુમ થયેલા યુવાનના પિતા કિશોરભાઈ અઘારા દ્વારા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને પોલીસ મથક ખાતે હાલ ગુમ સુધા નોંધ દાખલ કરી ને ગુમ થયેલા રોનકને શોધવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયેલ છે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ ચાવડા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મૃતક માતાની યાદ આવતા દવા પી ગયેલ પરણીતા સારવારમાં

મોરબીના જુના સાદુરકા ગામે ભાવેશભાઈ મેઘજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના જમનાબેન રાહુલભાઈ રણજીતભાઈ નાયકા જાતે આદિવાસી (ઉમર ૨૦) નામની પરિણીતા તા.૩૦-૧ ના સાંજે સાતેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી ગઈ હોય તેને અસર થતા અત્રે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી તેણીનો લગ્નગાળો એક વર્ષનો હોય અને સંતાન ન હોય હાલ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી પીએસઆઇ બી.એ.ગઢવીએ તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે ભોગ બનેલ જમનાબેનના માતાનું થોડા સમય પહેલા અવસાન થયેલું હોય અને તેઓના મૃતક માતાની યાદ આવતા લાગણીસભર થઈને તેઓએ ભૂલથી ઝેરી દવાયુક્ત ગ્લાસમાં પાણી પી લીધું હતું જેથી તેણીને અસર થઈ હતી.






Latest News