મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મહર્ષિ દયાનંદ સરસ્વતી મહોત્સવની ઉજવણી અંતર્ગત ટંકારાની તમામ શાળાઓમાં બે દિવસ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં એક દિવસ રજા 


SHARE















મહર્ષિ દયાનંદ સરસ્વતી મહોત્સવની ઉજવણી અંતર્ગત ટંકારાની તમામ શાળાઓમાં બે દિવસ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં એક દિવસ રજા 

મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીની મોરબી જીલ્લાના ટંકારા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે તેના માટે હાલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦ અને ૧૨ ની રજા જાહેર કરવામાં આવી છે જો કે, રાજ્યપાલન  હુકમથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં તા ૧૨ ના રોજ રજા જાહેર કરવામાં આવી છે

જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ત્રણ સ્થાનિક રજાઓ જે તે તાલુકાઓમાં જાહેર કરવાની સત્તા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપેલ છે તે મુજબ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીને ધ્યાને રાખીને ટંકારા તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા દ્વારા બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦ ને શનિવાર તેમજ તા. ૧૨ ને સોમવાર એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને રવિવારની રજા હોવાથી ટંકારા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસની રજા થઈ જશે અત્રે ઉલેખનીય છેકે, રાજ્યપાલના આદેશથી મોરબી જિલ્લાની સરકારી કચેરીએ તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ ઓધ્યોગિક સંસ્થાઓમાં તા ૧૨ ના રોજ રજા જાહેર કરવામાં આવેલ છે






Latest News