મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મહર્ષિ દયાનંદ સરસ્વતી મહોત્સવની ઉજવણી અંતર્ગત ટંકારાની તમામ શાળાઓમાં બે દિવસ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં એક દિવસ રજા 


SHARE













મહર્ષિ દયાનંદ સરસ્વતી મહોત્સવની ઉજવણી અંતર્ગત ટંકારાની તમામ શાળાઓમાં બે દિવસ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં એક દિવસ રજા 

મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીની મોરબી જીલ્લાના ટંકારા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે તેના માટે હાલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦ અને ૧૨ ની રજા જાહેર કરવામાં આવી છે જો કે, રાજ્યપાલન  હુકમથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં તા ૧૨ ના રોજ રજા જાહેર કરવામાં આવી છે

જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ત્રણ સ્થાનિક રજાઓ જે તે તાલુકાઓમાં જાહેર કરવાની સત્તા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપેલ છે તે મુજબ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીને ધ્યાને રાખીને ટંકારા તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા દ્વારા બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦ ને શનિવાર તેમજ તા. ૧૨ ને સોમવાર એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને રવિવારની રજા હોવાથી ટંકારા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસની રજા થઈ જશે અત્રે ઉલેખનીય છેકે, રાજ્યપાલના આદેશથી મોરબી જિલ્લાની સરકારી કચેરીએ તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ ઓધ્યોગિક સંસ્થાઓમાં તા ૧૨ ના રોજ રજા જાહેર કરવામાં આવેલ છે






Latest News