વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મહર્ષિ દયાનંદ સરસ્વતી મહોત્સવની ઉજવણી અંતર્ગત ટંકારાની તમામ શાળાઓમાં બે દિવસ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં એક દિવસ રજા 


SHARE







મહર્ષિ દયાનંદ સરસ્વતી મહોત્સવની ઉજવણી અંતર્ગત ટંકારાની તમામ શાળાઓમાં બે દિવસ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં એક દિવસ રજા 

મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીની મોરબી જીલ્લાના ટંકારા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે તેના માટે હાલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦ અને ૧૨ ની રજા જાહેર કરવામાં આવી છે જો કે, રાજ્યપાલન  હુકમથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં તા ૧૨ ના રોજ રજા જાહેર કરવામાં આવી છે

જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ત્રણ સ્થાનિક રજાઓ જે તે તાલુકાઓમાં જાહેર કરવાની સત્તા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપેલ છે તે મુજબ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીને ધ્યાને રાખીને ટંકારા તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા દ્વારા બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦ ને શનિવાર તેમજ તા. ૧૨ ને સોમવાર એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને રવિવારની રજા હોવાથી ટંકારા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસની રજા થઈ જશે અત્રે ઉલેખનીય છેકે, રાજ્યપાલના આદેશથી મોરબી જિલ્લાની સરકારી કચેરીએ તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ ઓધ્યોગિક સંસ્થાઓમાં તા ૧૨ ના રોજ રજા જાહેર કરવામાં આવેલ છે






Latest News