મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી મહાપાલિકામાં 3 ફોર્મ ખેંચતા 178 અને જિલ્લા પંચાયતમાં 3 ફોર્મ પાછા ખેંચી લેવાતા 78 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ


SHARE













મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ

મોરબીની કોર્ટમાં ઝુલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કલમ ૩૦૨ નો ઉમેરો તથા કંપનીને આરોપી બનાવવા માટે અને તેઓને સુનાવણીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે તે માટેની અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામા આવેલ છે અને અરજદારે અગાઉ કરેલ અરજીમાં સુધારો કરવા માટે પરવાનગી આપવી કે કેમ તેની સુનાવણી આગામી દિવસોમાં થશે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં ભોગ બનેલા પરિવારો દ્વારા વિકટીમ એસો. બનાવવામાં આવેલ છે તેના સભ્ય નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીઝર કોર્ટની કલમ ૧૭૩ (૮) મુજબ અરજી કરવામાં આવેલ હતી અને આ કેસમાં વિશેષ તપાસ માટે જે અરજી કરવામાં આવી છે તેની સુનાવણી પેન્ડિંગ છે દરમ્યાન નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા તેઓને વિશેષ તપાસ માટે કરવામાં આવેલ અરજીના કામે સુનાવણીમાં ભાગ લેવા દેવામાં આવે તેની પરવાનગી માંગતી અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબી જિલ્લા સેશન્સ કોર્ટના જજ સાહેબે ગ્રાહ્ય રાખેલ છે અને આ કેસમાં વિશેષ તપાસ કરવા દેવી કે કેમ ?, વિશેષ તપાસ માટે ભોગ બનનાર દ્વારા કરેલ અરજીમાં સુધારો કરવા પરવાનગી આપવી કે કેમ ? તેની સુનાવણી આગામી દિવસોમાં થશે તેવી માહિતી વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી મળેલ છે






Latest News