માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ


SHARE













મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ

મોરબીની કોર્ટમાં ઝુલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કલમ ૩૦૨ નો ઉમેરો તથા કંપનીને આરોપી બનાવવા માટે અને તેઓને સુનાવણીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે તે માટેની અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામા આવેલ છે અને અરજદારે અગાઉ કરેલ અરજીમાં સુધારો કરવા માટે પરવાનગી આપવી કે કેમ તેની સુનાવણી આગામી દિવસોમાં થશે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં ભોગ બનેલા પરિવારો દ્વારા વિકટીમ એસો. બનાવવામાં આવેલ છે તેના સભ્ય નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીઝર કોર્ટની કલમ ૧૭૩ (૮) મુજબ અરજી કરવામાં આવેલ હતી અને આ કેસમાં વિશેષ તપાસ માટે જે અરજી કરવામાં આવી છે તેની સુનાવણી પેન્ડિંગ છે દરમ્યાન નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા તેઓને વિશેષ તપાસ માટે કરવામાં આવેલ અરજીના કામે સુનાવણીમાં ભાગ લેવા દેવામાં આવે તેની પરવાનગી માંગતી અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબી જિલ્લા સેશન્સ કોર્ટના જજ સાહેબે ગ્રાહ્ય રાખેલ છે અને આ કેસમાં વિશેષ તપાસ કરવા દેવી કે કેમ ?, વિશેષ તપાસ માટે ભોગ બનનાર દ્વારા કરેલ અરજીમાં સુધારો કરવા પરવાનગી આપવી કે કેમ ? તેની સુનાવણી આગામી દિવસોમાં થશે તેવી માહિતી વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી મળેલ છે






Latest News