મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ લાતી પ્લોટ વિસ્તારમાંથી બિન વારસી સ્કૂટર જપ્ત કર્યું, આગળની તપાસ શરૂ


SHARE















મોરબી એલસીબીએ લાતી પ્લોટ વિસ્તારમાંથી બિન વારસી સ્કૂટર જપ્ત કર્યું, આગળની તપાસ શરૂ

મોરબી એલસીબીના સ્ટાફને વોચ તપાસ અને પેટ્રોલીંગ દરમિયાન શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લુક્સ ફર્નિચર વાળી શેરી પાસેથી બિન વારસી હાલતમાં એક્સેસ સ્કૂટર મળી આવ્યું હતું હાલ તે જપ્ત કરીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લાતી પ્લોટમાં આવેલ લુક્સ ફર્નિચર વાળી શેરી નજીક બિન વારસી હાલતમાં એક સુઝુકી એક્સેસ સ્કૂટર નંબર જીજે ૩ ડીજે ૦૮૮૯ મળી આવ્યુ હતુ જેથી હાલ રૂપિયા ૫૦૦૦ ની કિંમતનું સ્કૂટર ગણીને તેને જપ્ત કરવામાં આવ્યું હતું અને સ્કુટર અહીં કોણ મૂકી ગયું છે..? તેનું માલિક કોણ છે..? ચોરાઉ છે કે કેમ.? તે સહિતની બાબતો માટે આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાને સોંપવામાં આવેલ હોય હાલ તેવો સાથે થયેલ વાતચીત મુજબ ઉપરોક્ત નંબરના સ્કૂટરના માલિક રાજકોટના હોવાનું સામે આવ્યું છે માટે તેઓને બોલાવવામાં આવ્યા છે અને તેઓના નિવેદન બાદ આગળની તજવીજ હાથ ધરાશે તેમ હાલ તપાસ અધીકારીએ જણાવ્યું છે.

બે દિવસ પાણી ન આવતા લોકો હેરાન

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગમાં આવેલ પાણીના સંપમાં ટાંકા ઉપર પાણી ચડાવવા માટેનો પાઇપ સડી ગયો હોય અને તે સડી જવાથી તેના રીપેરીંગનું કામ કરવામાં આવ્યું હતું અને જેના લીધે બે દિવસ સુધી શહેરના સામાકાંઠા વિસ્તારના મોટાભાગના તમામ વિસ્તારમાં પાણી આવ્યું ન હતું અને જેના લીધે બે દિવસ સુધી લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.આ બાબતે પાલીકાના સંલગ્ન વિભાગના કર્મચારી સાથે થયેલ વાતમાંથી મળી રહેલ વિગતો મુજબ બે દિવસ બાદ પાઇપ રીપેરીંગની કામગીરી પૂર્ણ થતા પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના સામાકાંઠે આવેલા અરૂણોદયનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દાયકાથી પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરની પાણી ભડી જવાના લીધે પીવાના પાણીમાં વાસ આવે છે જેને શોધીને તેનું યોગ્ય સમારકામ કરવાની દરકાર આજ સુધી કોઈએ લીધી નથી તે નરી વાસ્તવિકતા છે.






Latest News