વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

આઝાદ ભારતથી લઇને વિકસિત ભારત સુધીના સમયમાં આર્ય સમાજનું અમૂલ્ય યોગદાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી


SHARE







આઝાદ ભારતથી લઇને વિકસિત ભારત સુધીના સમયમાં આર્ય સમાજનું અમૂલ્ય યોગદાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ ની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત જે કાર્યક્રમો ચાલી રહ્યા છે તેમાં આજે દેશના વડાપ્રધાન વર્ચ્યુલ જોડાયા હતા અને તેમણે આર્ય સમાજની જે સંસ્થાઓ છે તેના વિદ્યાર્થીઓને "માય ભારત" સાથે જોડવા માટે આહવાન કર્યું હતું તેમજ આર્ય સમાજની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માંથી ૧૮ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેમને મતદાર કાર્ડ બનાવવા માટે થઈને આહવાન કર્યું હતું

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે જેમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાઈવ જોડાયા હતા અને તેમના દ્વારા ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે આઝાદી માટે જે ચળવળ ચાલી હતી તેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ના યોગદાન ને યાદ કરવામાં આવ્યું હતું તેમજ હાલમાં જ્યારે વિકસિત ભારત સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતિ ની ઉજવણી એ કાલ ખંડમાં ચાલી રહી છે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો દેશના દરેક સામાજિક કાર્યોમાં લોકોને જોડવા માટે નું કામ કરીને મહર્ષિ દયાનંદ સરસ્વતીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાગણી વ્યક્ત કરી હતી અને સ્વચ્છ ભારત મિશન વિકસિત ભારત સહિતની જે કામગીરી વર્તમાન સમયમાં થઈ રહી છે તેમાં પણ આર્ય સમાજનું અમૂલ્ય યોગદાન છે અને આર્ય સમાજની જુદીજુદી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારતના વિકાસમાં આર્ય સમાજની વિચારધારા સાથે યોગદાન આપશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ ટંકારા નજીક બની રહેલ આર્ય સમાજના ગુરુકુળ માટે શુભકામનાઓ પાઠવી હતી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્યાં સ્વામી દયાનંદજી વિશે વર્તમાન પેઢી જાણે અને તેના જીવન કવનને પોતાના જીવનમાં ચરિતર્થ કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News