મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

રેલ્વેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી અંગે મોરબીમાં સેમિનાર યોજાયો


SHARE













રેલ્વેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી અંગે મોરબીમાં સેમિનાર યોજાયો

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યા પર કુલ-૫૬૯૬ જગ્યા ભરવામા આવનાર છે, જેના માટે જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ  તા.૧૩ નાં રોજ સેમિનારનું આયોજન જિલ્લા રોજગાર કચેરી, એલ.ઇ. કોલેજ તથા  આઈ.ટી.આઈ. મોરબીનાં સયુક્ત ઉપક્રમે શિવ હોલ, શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ હતું.

આ સેમિનારમાં આઈ.ટી.આઈ, ડિપ્લોમાં તેમજ ઈજનેર વિષયોમાં પાસ થયેલ આશરે ૧૨૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા રોજગાર અધિકારી તેમજ આઈ.ટી.આઈ મોરબીનાં આચાર્ય અને એલ.ઈ. કોલેજનાં આસિ. પ્રોફેસર અશિષભાઈ બલદાણીયા દ્વારા ઉમેદવારોને ભરતી પ્રક્રિયા, ભરતી માટેની અરજી કરવા તેમજ ભરતી પરિક્ષાની તૈયારી કરવા અંગે જાણકારી અને માર્ગદર્શન  આપવામાં આવ્યુ હતું મોરબી ખાતે રેલ્વેમાં ટ્રાફિક લાઈન ઇનસ્પેક્ટર  લખેંદ્રપ્રસાદ યાદવ  દ્વારા  ઉમેદવારોને આસિસટન્ટ લોકો-પાઈલટ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ઉમેદવારોને રેલ્વે દ્વારા આવતી ભરતીમાં અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે રોજગાર કચેરી, મોરબી દ્વારા  મોરબી જિલ્લા ખાતે આસિ. લોકો-પાઈલટની ભરતી માટે નિશુલ્ક તાલીમ વર્ગો શરૂ કરવાનું વિચારણામાં હોઈ, જે માટે મોરબી જિલ્લાનાં ઉમેદવારોએ પોતાની અરજી કર્યા બાદ જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરીને પોતાનો અરજી નંબર તેમજ અન્ય વિગોતો નોંધાવાની રહેશે જેથી અરજી કરેલ ઉમેદવારોનો સંપર્ક કરીને તાલીમ વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવશે








Latest News