મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો, રોકડા પૈસા ભરવાથી ફ્રોડની શક્યતા: લાલજીભાઈ મહેતા


SHARE













ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો, રોકડા પૈસા ભરવાથી ફ્રોડની શક્યતા: લાલજીભાઈ મહેતા

મકાન લોન લેતા પહેલાં ગ્રાહક ધ્યાન રાખે પચ્ચીસ લાખનુ મકાન ફાયન્સવાળા દશ લાખમાં જપ્ત કરી શકે છે અને ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો રોકડા ભરવાથી ફ્રોડ થવાની સંભાવના રહેશે આ અંગે ઉચ્ચકક્ષાએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆત કરેલ છે

આજકાલ ગુજરાતમાં એટલી બધી ફાયનાન્સ કંપનીઓ આવી રહી છે કે વાતપુછોમાં સમગ્ર ગુજરાતમાં બ્રાંચ હોય પણ તેની હેડ ઓફિસ ચેન્નાઈ, બેંગ્લોર, રાજકોટ, અમદાવાદ, વડોદરા કે અન્યત્ર હોય છે અહીં તો ફકત હપ્તા લેવા વાળા બેસાડતા હોય તેવુ જણાય છે.તમારૂ પચ્ચીસ લાખનુ મકાન હોઈ અને તમારે દશ લાખની લોન જોઈતી હોય તો આપે નિયમ પ્રમાણે લોન મકાન ઉપર લેવામાં આવે તો ગ્રાહક મરણ પામે તો વીમો મળે પરંતુ ઘણા કિસ્સામાં વીમો લેતા નથી મકાન ઘણા મરણ પામે એટલે વીમા કંપની વીમો મળશે... મળશે... કહીને સમય કાઢે છે અને વ્યાજ નુ વ્યાજ ચડતુ જાય છે કમનશીબી ગ્રાહકની ત્યાં છે કે પહેલાં તમારા મકાને શીલ મારવું હોય તો કલેકટર કે મામલબેરની હાજરીમાં મારતા હાલે બધી ફાયન્સ કંપની ભેગી થઇ હાઈકોર્ટ માંથી અધિકાર લઇ આવેલ છે કે સમય મર્યાદા માં પૈસા નો ભરેતો તમારૂ કિંમતી મકાન જપ્ત કરી લે છે. સમય કાઢીને દશ લાખના વીસ લાખ વ્યાજ સાથે કાઢે છે અને કેટલાય વીધવાના મકાન જપ્ત કરી લે છે ગુજરાતના નાણાં મંત્રાલય અને પોલીસ ખાતાએ આ બાબત તપાસ કરવી જરૂરી છે ધણાં ગ્રાહકો રોકડા પૈસા ફાયનાન્સમાં ભરવા જાય છે અને ફાયનાન્સમાંથી સહી સીકકા વાળી પહોંચ આપે છે પરંતુ ફાયનાન્સ શું કહે છે ઇ માણસ નોકરી છોડી ચાલીયો ગયો છે રકમ નથી ભરી તમે વ્યાજ સાથે ભરો ગ્રાહક સામે ઉઘાડી લુંટ થતી હોઈ તેવી ચર્ચા થાય છે ફાયનાન્સ ના ત્રાસ થી ગુજરાત સરકાર અને પોલીસ ખાતાએ આ બાબતમાં રસ લેવો જોઇએ તેવુ પ્રજાજનોમાં ચર્ચાઇ રહ્યુ છે તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે જણાવ્યુ છે






Latest News