મોરબી: ગટરની સફાઈ કરતા કર્મીઓને રાજ્ય સરકાર દ્વારા ૫૦૦૦૦ ની મર્યાદામાં સહાય
મોરબી જિલ્લા કરણી સેના ટીમ દ્વારા વીસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશ ધામની મુલાકાત લઇને સફાઈની માંગ કરાઇ
SHARE
મોરબી જિલ્લા કરણી સેના ટીમ દ્વારા વીસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશ ધામની મુલાકાત લઇને સફાઈની માંગ કરાઇ
મોરબી વીસીપરા વિસ્તારમાં આવેલ કૈસાશ ધામ મધ્યે રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના વર્ષો જુના પાળીયાઓ આવેલ છે જેમાંથી ઘણા પાળિયા તેમજ મૂર્તિઓ ખંડિત હાલતમાં હોય તેમજ રાજાશાહી વખતની મૂર્તિઓમાં વર્ષોથી કોઈ સાફસફાઈ કરાવેલ ન હોય આ જગ્યાની હાલત ખુબ જ ખરાબ હાલતમાં છે જેની જાણ રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાને થતા મોરબી કરણી સેના જિલ્લા ટીમના હોદેદારો મોરબી કૈલાષલાશ ધામ ખાતે પહોંચી ગયા હતા જગ્યાની મુલાકત કરી હતી તેમજ મોરબી કરણી સેના ટીમ દ્વારા આ તમામ માહિતી મોરબી નગર પાલિકા ઓફિસરને જાણ કરવામાં આવી હતી તેમજ અધિકારીઓને આ પરિસ્થિતિ અંગે સાવચેત કર્યા હતા તેમજ આ જગ્યાની સાફસફાઈ માટે કરણી સેના ટીમ દ્વારા નગર પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી. ત્યારે નગર પાલિકા દ્વારા પણ કરણીસેનાના આ વિચારને બિરદાવામાં આવ્યો હતો તેમજ નગર પાલિકા દ્વારા કરણી સેનાને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે આવનારા ચારથી પાંચ દિવસ દરમ્યાન આ જગ્યાની સાફસફાઈ નગર પાલિકા દ્વારા કરાવવામાં આવશે સાથોસાથ કરણી સેના ટીમ દ્વારા વીસીપરામાં આવેલ કેશવાનદ બાપુના આશ્રમની પણ મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં કેશવાનંદ બાપુના શિષ્યા કની માતાજીના આશીર્વાદ લીધા હતા.