મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કરણી  સેના ટીમ દ્વારા વીસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશ ધામની મુલાકાત લઇને સફાઈની માંગ કરાઇ


SHARE







મોરબી જિલ્લા કરણી  સેના ટીમ દ્વારા વીસીપરા વિસ્તારમાં આવેલ કૈલાશ ધામની મુલાકાત લઇને સફાઈની માંગ કરાઇ

મોરબી વીસીપરા વિસ્તારમાં આવેલ કૈસાશ ધામ મધ્યે રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના વર્ષો જુના પાળીયાઓ આવેલ છે જેમાંથી ઘણા પાળિયા તેમજ મૂર્તિઓ ખંડિત હાલતમાં હોય તેમજ રાજાશાહી વખતની મૂર્તિઓમાં વર્ષોથી કોઈ સાફસફાઈ કરાવેલ ન હોય આ જગ્યાની હાલત ખુબ જ ખરાબ હાલતમાં છે જેની જાણ રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાને થતા મોરબી કરણી સેના જિલ્લા ટીમના હોદેદારો મોરબી કૈલાષલાશ ધામ ખાતે પહોંચી ગયા હતા જગ્યાની મુલાકત કરી હતી તેમજ મોરબી કરણી સેના ટીમ દ્વારા આ તમામ માહિતી મોરબી નગર પાલિકા ઓફિસરને જાણ કરવામાં આવી હતી તેમજ અધિકારીઓને આ પરિસ્થિતિ અંગે સાવચેત કર્યા હતા તેમજ આ જગ્યાની સાફસફાઈ માટે કરણી સેના ટીમ દ્વારા નગર પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી. ત્યારે નગર પાલિકા દ્વારા પણ કરણીસેનાના આ વિચારને બિરદાવામાં આવ્યો હતો તેમજ નગર પાલિકા દ્વારા કરણી સેનાને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે આવનારા ચારથી પાંચ દિવસ દરમ્યાન આ જગ્યાની સાફસફાઈ નગર પાલિકા દ્વારા કરાવવામાં આવશે સાથોસાથ કરણી સેના ટીમ દ્વારા વીસીપરામાં આવેલ કેશવાનદ બાપુના આશ્રમની પણ મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં કેશવાનંદ બાપુના શિષ્યા કની માતાજીના આશીર્વાદ લીધા હતા.






Latest News