મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની આર્ટસ કોલેજ ખાતે માતૃભાષા દિવસ નિમિત્તે આગામી ૨૧ મી તારીખે કવિ સંમેલનનું આયોજન


SHARE













મોરબીની આર્ટસ કોલેજ ખાતે માતૃભાષા દિવસ નિમિત્તે આગામી ૨૧ મી તારીખે કવિ સંમેલનનું આયોજન


વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ‎‫دગુજરાત સાહિત્ય અકાદમી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબીનાં સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ ઉજવાશે તે નિમિતે કવિ સંમેલનનું આયોજન કરાયેલ છે


"મળી માતૃભાષા મને ગુજરાતી આવો કરીએ માતૃભાષાનું મહિમાગાન" આ મહોત્સવમાં પધારવા સાહિત્યપ્રેમીઓને આમંત્રણ આપવામાં આવેલ છે.કવિ સંમેલન તા.૨૧ મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ કલાકે શ્રી યુ. એન.મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે યોજાશે.જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા ની પ્રેરક ઉપષ્થિતી રહેશે અને મોરબીના જાણીતા કવિઓ બિપિનચંદ્ર નિમાવત (બિપિન મધુર), રૂપેશ પરમાર (જલરૂપ) અને સંજય બાપોદરિયા (સંગી) કવિતાઓ પીરસસે.કાર્યક્રમનું સંચાલન મહોત્સવના સંયોજક એવા ડૉ.આર.કે.વારોતરિયા કરશે.સૌને પધારવા પ્રા.કે.આર.દંગી (ઈ.પ્રિન્સિપાલ શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ) તેમજ ડૉ.જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર) એ આમંત્રણ પાઠવેલ છે.મોરબીની જાહેર જનતાને જણાવવાનું કે આગામી ૨૧ ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મોરબીની શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન રાખવામાં આવેલ છે. મોરબીના સાહિત્ય તેમજ માતૃભાષામાં વિશેષ રુચિ ધરાવતા સુજ્ઞ શ્રોતાઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આથી આમંત્રિત કરીએ છીએ. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી મોરબી ખાતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ માતૃભાષા અને સાહિત્ય ક્ષેત્રે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી ભાષા પ્રત્યેનો આપણો લગાવ વધુ પાકો કરીએ તે આ કાર્યક્રમનો ઉપદેશ છે. આ કાર્યક્રમમાં કવિ બિપિન મધુર, કવિ સંજય બાપોદરીયા તથા કવિ જલરૂપ પોતાની કૃતિઓ રજૂ કરશે. સાહિત્ય ક્ષેત્રે મોરબીમાં જેમનું નામ જાણીતું છે તેવા સાહિત્ય પ્રેમીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News