સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાતના કલા-કારીગરો છવાયા
SHARE
સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાતના કલા-કારીગરો છવાયા
હરિયાણાના ફરીદાબાદમાં તા ૨ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા ૩૭ માં સુરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળામાં આ વખતે "ગુજરાત રાજ્ય" મેળાની થીમ હતી. મેળામાં ગુજરાતની રંગીન ધરોહર કલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળોએ વિશ્વનો સૌથી મોટો હસ્તકલા મેળો છે. તે ભારતની વિવિધતાઓનો સમન્વય છે અને વિશ્વભરના હસ્તકલા, સંગીત અને લય, કલા અને સંસ્કૃતિની ઉજવણી છે આ મેળામાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઈન્ડેક્ષ્ટ-સી, ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતના શ્રેષ્ઠ કારીગરોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં પટોળા, ટાઈ અને ડાય બાંધણી, અજરખ બ્લોક પ્રિન્ટ, વૂલન શાલ, ખરડ વણાટ, મશરૂ વણાટ, કઠપૂતળી, ટાંગલિયા વણાટ, મુતવા ભરત, આહીર ભરત, કચ્છી મિરર ભરત કામ, કોપર બેલ, પારંપરિક મોતીકામ, ચણીયા-ચોળી, કલમકારી, સ્ટોન કાર્વિગ, લેધર ટોઈઝ, બાટિક પ્રિન્ટ, એપ્લીક, મડ મિરર અને મેટલ ક્રાફટ સાથે બીજી ધણી કલાકૃતિઓનુ ઉત્કૃષ્ટ કલા-કસબીઓ દ્વારા નિદર્શન-પ્રદર્શન સહ વેચાણ કરવા આવેલ હતું જેમાં ગુજરાતના પારંપરિક ભવ્યકલા વારસાને ઉજાગર કરવામાં આવેલ છે આ મેળામાં ગુજરાતના કારીગરોએ તેમની ૩ કરોડથી વધુ કિંમતની હાથશાળ-હસ્તકલાની કલાકૃતિઓનુ વેચાણ કરેલ છે આ મેળામાં શ્રેષ્ઠ કલા-કારીગરોના મૂલ્યાંકનમાં ગુજરાતને બે કલામણી એવોર્ડ પંકજભાઈ મકવાણા પટોળા વણાટ, અને સુરેશકુમાર ધઈડા- ટાંગલીયા વણાટ, ત્રણ કલાનિધિ એવોર્ડ જખુભાઈ મારવાડા કચ્છી વુલન શાલ, હીરાભાઈ મારવાડા ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયા કલમકારી માતાની પછેડી. એક કલાશ્રી એવોર્ડ મહેજબીન પટેલ-ટ્રેડિશનલ મોતિકામ સાથે ગુજરાતના ૬ ઉત્કૃષ્ટ કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મેળાનુ આયોજન અને સંકલન એન.ડી. પરમાર જી.એ.એસ., કાર્યવાહક નિયામકના દિશા સૂચન અને માર્ગદર્શન હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી ના આર.એસ. શાહ, મેનેજર (વર્ગ-૧) દ્વારા કરવામાં આવેલ અને સુરજકુંડ ખાતે જેનું સંચાલન ડૉ.સ્નેહલ મકવાણા, મેનેજર (માર્કેટીંગ) દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવા અને કારીગરોને પ્રોત્સાહિત કરી આ સમગ્ર મેળાની સફળતા માટે પ્રવિણ સોલંકી આઈ.એ.એસ. સચિવ અને કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે









