મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાતના કલા-કારીગરો છવાયા


SHARE













સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાતના કલા-કારીગરો છવાયા

હરિયાણાના ફરીદાબાદમાં તા ૨ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા ૩૭ માં સુરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળામાં આ વખતે "ગુજરાત રાજ્ય" મેળાની થીમ હતી. મેળામાં ગુજરાતની રંગીન ધરોહર કલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળોએ વિશ્વનો સૌથી મોટો હસ્તકલા મેળો છે. તે ભારતની વિવિધતાઓનો સમન્વય છે અને વિશ્વભરના હસ્તકલાસંગીત અને લયકલા અને સંસ્કૃતિની ઉજવણી છે આ મેળામાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઈન્ડેક્ષ્ટ-સીગુજરાત સરકારના સહયોગથી ગુજરાતના શ્રેષ્ઠ કારીગરોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં પટોળાટાઈ અને ડાય બાંધણીઅજરખ બ્લોક પ્રિન્ટવૂલન શાલખરડ વણાટમશરૂ વણાટકઠપૂતળીટાંગલિયા વણાટમુતવા ભરતઆહીર ભરતકચ્છી મિરર ભરત કામકોપર બેલપારંપરિક મોતીકામચણીયા-ચોળીકલમકારીસ્ટોન કાર્વિગલેધર ટોઈઝબાટિક પ્રિન્ટએપ્લીકમડ મિરર અને મેટલ ક્રાફટ સાથે બીજી ધણી કલાકૃતિઓનુ ઉત્કૃષ્ટ કલા-કસબીઓ દ્વારા નિદર્શન-પ્રદર્શન સહ વેચાણ કરવા આવેલ હતું જેમાં ગુજરાતના પારંપરિક ભવ્યકલા વારસાને ઉજાગર કરવામાં આવેલ છે આ મેળામાં ગુજરાતના કારીગરોએ તેમની ૩ કરોડથી વધુ કિંમતની હાથશાળ-હસ્તકલાની કલાકૃતિઓનુ વેચાણ કરેલ છે આ મેળામાં શ્રેષ્ઠ કલા-કારીગરોના મૂલ્યાંકનમાં ગુજરાતને બે કલામણી એવોર્ડ પંકજભાઈ મકવાણા પટોળા વણાટઅને સુરેશકુમાર ધઈડા- ટાંગલીયા વણાટત્રણ કલાનિધિ એવોર્ડ જખુભાઈ મારવાડા  કચ્છી વુલન શાલહીરાભાઈ મારવાડા ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયા કલમકારી માતાની પછેડી. એક કલાશ્રી એવોર્ડ મહેજબીન પટેલ-ટ્રેડિશનલ મોતિકામ સાથે ગુજરાતના ૬ ઉત્કૃષ્ટ કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કેઆ સમગ્ર મેળાનુ આયોજન અને સંકલન એન.ડી. પરમાર જી.એ.એસ.કાર્યવાહક નિયામકના દિશા સૂચન અને માર્ગદર્શન હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી ના આર.એસ. શાહમેનેજર (વર્ગ-૧) દ્વારા કરવામાં આવેલ અને સુરજકુંડ ખાતે જેનું સંચાલન ડૉ.સ્નેહલ મકવાણામેનેજર (માર્કેટીંગ) દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવા અને કારીગરોને પ્રોત્સાહિત કરી આ સમગ્ર મેળાની સફળતા માટે પ્રવિણ સોલંકી આઈ.એ.એસ. સચિવ અને કમિશનરકુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે






Latest News