મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે દીકરીની સગાઈ કરાવવાની ના પડતાં પિતાને ઝપટો મારીના મારી નાખવાની ધમકી !


SHARE







મોરબીના જેતપર ગામે દીકરીની સગાઈ કરાવવાની ના પડતાં પિતાને ઝપટો મારીના મારી નાખવાની ધમકી !

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા આધેડ પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં જેતપર ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યાં તે ગામમાં રહેતા એક શખ્સે પોતાના દીકરા સાથે તેની દીકરીની સગાઈ કરાવવા બાબતે તેને કહ્યું હતું ત્યારે આધેડે સગાઈ કરવાની ના પડી હતી જે બાબતનો ખાર રાખીને તે શખ્સ અને તેના દીકરાએ આધેડેને ગાળો આપીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં પરંતુ તેઓના ઘર પાસે લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા તેના દીકરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જેતપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં આવેલ પુનિતનગર સોસાયટીમાં રહેતા લલિતભાઈ અમરશીભાઈ કંડિયા જાતે પટેલ (૪૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા અને તેના દીકરા ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા રહે. બંને જેતપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના વતન જેતપર ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યારે જેતપર ગામમાં નંદાભાઈ ચા વાળાની દુકાન પાસે આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયાએ આવીને ફરિયાદીને તેની દીકરીની સગાઈ તેઓના દિકરા સાથે કરાવવા માટે થઈને કહ્યું હતું ત્યારે ફરિયાદીએ દીકરીની સગાઈ કરાવવાની ના પડી હતી જેથી કરીને તે વાતનો ખાર રાખીને મુકેશભાઈ અમૃતિયાએ ફરિયાદીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ મુકેશભાઈ અને તેનો દીકરો ભાવિક બંને ધોકા લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા ત્યારે ત્યાં ફરિયાદી અને તેના દીકરા દીપને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા (૫૨) અને ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા (૨૩) રહે. બંને જેતપર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News