મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે દીકરીની સગાઈ કરાવવાની ના પડતાં પિતાને ઝપટો મારીના મારી નાખવાની ધમકી !


SHARE















મોરબીના જેતપર ગામે દીકરીની સગાઈ કરાવવાની ના પડતાં પિતાને ઝપટો મારીના મારી નાખવાની ધમકી !

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા આધેડ પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં જેતપર ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યાં તે ગામમાં રહેતા એક શખ્સે પોતાના દીકરા સાથે તેની દીકરીની સગાઈ કરાવવા બાબતે તેને કહ્યું હતું ત્યારે આધેડે સગાઈ કરવાની ના પડી હતી જે બાબતનો ખાર રાખીને તે શખ્સ અને તેના દીકરાએ આધેડેને ગાળો આપીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં પરંતુ તેઓના ઘર પાસે લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા તેના દીકરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જેતપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં આવેલ પુનિતનગર સોસાયટીમાં રહેતા લલિતભાઈ અમરશીભાઈ કંડિયા જાતે પટેલ (૪૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા અને તેના દીકરા ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા રહે. બંને જેતપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના વતન જેતપર ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યારે જેતપર ગામમાં નંદાભાઈ ચા વાળાની દુકાન પાસે આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયાએ આવીને ફરિયાદીને તેની દીકરીની સગાઈ તેઓના દિકરા સાથે કરાવવા માટે થઈને કહ્યું હતું ત્યારે ફરિયાદીએ દીકરીની સગાઈ કરાવવાની ના પડી હતી જેથી કરીને તે વાતનો ખાર રાખીને મુકેશભાઈ અમૃતિયાએ ફરિયાદીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ મુકેશભાઈ અને તેનો દીકરો ભાવિક બંને ધોકા લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા ત્યારે ત્યાં ફરિયાદી અને તેના દીકરા દીપને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા (૫૨) અને ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા (૨૩) રહે. બંને જેતપર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News