મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપવા દાતાઓને આયોજકોની અપીલ


SHARE















મોરબીમાં યોજાનાર સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપવા દાતાઓને આયોજકોની અપીલ

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમા સર્વ જ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં દીકરીઓના કરિયાવર અને આયોજન માટે દાતાઓને દાન આપવા માટે અપીલ કરવાં આવેલ છે

મોરબી ખાતે છેલ્લા સાત વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનાર તેમજ ગરીબ પરિવારની ૨૨૯ દીકરીઓના લગ્નો કરાવી આપનાર સંસ્થા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ (આઠમા) સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આગામી તા ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ આયોજન કરેલ છે જેમાં ૨૨ દીકરીઓના લગ્નો નિર્ધારિત થયા છે જેથી કરીને આ દીકરીઓને કરિયાવરમાં દાતાઓના સહકારથી ઘરવખરી સહિતની વસ્તુઓ આપવામાં આવે છે ત્યારે આ સમૂહલગ્ન મહોત્સવમાં આર્થિક સહયોગ આપવા માટે દાતાઓને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવેલ છે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે દાતાએ આપેલ દાન ભારત સરકારના આયકર અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦જી(૫) હેઠળ કરમુક્ત છે અને વધુ માહિતી માટે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી  (૯૨૨૮૮૦૦૧૦૮) ઉપર સંપર્ક કરવો અને દાતા જો દાન ઓનલાઇન ટ્રાન્સફર કરવા માંગતા હોય તો Hitam Charitable Trust, Bank HDFC Morbi, Ac. no. 00491450000149 અને IFSC HDFC0000307 દાન ટ્રાન્સફર કરી શકે છે






Latest News