મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

અમદાવાદ ખાતેથી યુવતીનું અપહરણ કરનાર શખ્સ યુવતી સાથે મોરબીના વનાળીયા ગામેથી પકડાયો


SHARE















અમદાવાદ ખાતેથી યુવતીનું અપહરણ કરનાર શખ્સ યુવતી સાથે મોરબીના વનાળીયા ગામેથી પકડાયો

મોરબીના વનાળીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતા ઇસમની અમદાવાદ પોલીસ દ્વારા શકમંદ તરીકે અટકાયત કરવામાં આવી છે અને હાલ તપાસના કામે તેને સાથે અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.ત્યાં તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના બનાવમાં ભોગ બનનાર યુવતીની સાથે તે હાલ મોરબીમાંથી મળી આવ્યો હોય તેને આગળની તપાસ માટે અમદાવાદ લઈ જવા આવ્યો છે.આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના વનાળીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા અને મૂળ વડોદરાના રહેવાસી સંજયભાઈ નટુભાઈ નાયર (ઉમર ૧૯) ની અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ દ્વારા શકમંદ તરીકે હસ્તગત કરવામાં આવ્યો હતો અને તેની સાથે ભોગ બનનાર યુવતી પણ મળી આવી હોય ત્યાં તેઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસની તપાસ માટે હાલ સંજય નટુભાઈ નાયર નામના શખ્સને તથા તેની સાથે મળી આવેલ યુવતીને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

આધેડ મહિલા સારવારમાં

ટંકારાના હરિઓમનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન નરેન્દ્રભાઈ ભાડેજા નામની ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રમીલાબેનનો લગ્નગાળો ૨૫ વર્ષનો છે અને ટંકારાના હરિઓમનગર વિસ્તારમાં તેઓ રહે છે જ્યાં તેઓએ તેઓના ઘરે ફીનાઇલ, કેરોસીન તથા અન્ય કોઈ દવાઓ મિક્સ કરીને પી લીધી હોય તેઓને સારવાર માટે અત્રેની સત્યમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવની આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.જયારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે થયેલ મારામારીના બનાવમાં સિહોરના રહેવાસી રીટાબેન બકુલભાઈ મજેડીયા નામના ૫૦ વર્ષીય મહિલાને ઇજાઓ થતા મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી હંસાબેન સુરેશભાઈ કાલરીયા નામના ૫૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા વૈદેહી પ્લાઝા નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પામતા હંસાબેન કાલરીયાને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કિશનલાલ નામના ૩૬ વર્ષના યુવાનને મોરબીના જેલ રોડ ઉપરથી બાઈક લઈને જતા સમયે વાંકાનેર દરવાજા પાસે બાઇક સ્લીફ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.

ટ્રેન અકસ્માતમાં ઇજા

હળવદના રહેવાસી ખીમુભાઈ કાલાભાઈ ચૌહાણ નામના ૩૫ વર્ષના યુવાનને ટીકરના રેલ્વે ફાટક પાસે ટ્રેન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારમાં હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.






Latest News