સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ દ્વારા કવિ સંમેલન સાથે પુસ્તક વિમોચન યોજાયું
SHARE









સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ દ્વારા કવિ સંમેલન સાથે પુસ્તક વિમોચન યોજાયું
સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રૂપ દ્રારા કવિ સંમેલનની સાથે કાવ્ય સંગ્રહ "પંચરંગી પીંછા" (કવિ પ્રેમ જામલિયા) પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.જેમાં મુખ્ય આમંત્રિત મહેમાન જશવંતભાઈ મેહતા, વારિજ લુહાર, ડૉ.હર્ષિદાબેન રાવલ, પ્રવિણ વાછાણી "દિલેર", સાથે કલરવ ગ્રૂપના એડમિન શીલા પટેલ"આકાંક્ષા"ની હાજરીથી મંચ દીપી ઉઠ્યો હતો.કવિ સંમેલનમાં ગુજરાતના અલગ અલગ ગામ અને શહેરથી આમંત્રિત ૨૫ જેટલા કવિઓએ કાવ્ય પઠન કર્યુ હતુ.સુરેન્દ્રનગરના કવિ મેહુલ ત્રિવેદી "ઘાયલ મેઘ" અને લતા પંડ્યા "વેલી" દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ.સફળ આયોજન બદલ કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપના એડમિન પ્રણવ ઝાંખર, શીલા પટેલ "આકાંક્ષા" અને લતા પંડ્યા"વેલી" એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

