મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ દ્વારા કવિ સંમેલન સાથે પુસ્તક વિમોચન યોજાયું


SHARE













સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ દ્વારા કવિ સંમેલન સાથે પુસ્તક વિમોચન યોજાયું

સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રૂપ દ્રારા કવિ સંમેલનની સાથે કાવ્ય સંગ્રહ "પંચરંગી પીંછા" (કવિ પ્રેમ જામલિયા) પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.જેમાં મુખ્ય આમંત્રિત મહેમાન જશવંતભાઈ મેહતા, વારિજ લુહાર, ડૉ.હર્ષિદાબેન રાવલ, પ્રવિણ વાછાણી "દિલેર", સાથે કલરવ ગ્રૂપના એડમિન શીલા પટેલ"આકાંક્ષા"ની હાજરીથી મંચ દીપી ઉઠ્યો હતો.કવિ સંમેલનમાં ગુજરાતના અલગ અલગ ગામ અને શહેરથી આમંત્રિત ૨૫ જેટલા કવિઓએ કાવ્ય પઠન કર્યુ હતુ.સુરેન્દ્રનગરના કવિ મેહુલ ત્રિવેદી "ઘાયલ મેઘ" અને લતા પંડ્યા "વેલી" દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ.સફળ આયોજન બદલ  કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપના એડમિન પ્રણવ ઝાંખર, શીલા પટેલ "આકાંક્ષા" અને લતા પંડ્યા"વેલી" એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News