મોરબી: સંસ્કૃત ભારતીના બે કાર્યકર્તાઓને જિલ્લા-પ્રાંતનું દાયિત્વ સોંપાયું
મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી ગ્રાહકને ૨૦.૨૫ લાખની રકમ મળી
SHARE









મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી ગ્રાહકને ૨૦.૨૫ લાખની રકમ મળી
મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા પ્રભાબેન ચમનલાલ ધાનજાને મકાન લોનના વીમા બાબતે એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ પાસેથી ૨૦,૨૫,૦૦૧ ની રકમ ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવામાં આવે તેવો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે
મોરબીના વતની પ્રભાબેન ચમનલાલ ધાનજાએ એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ પાસેથી મકાન લોન ૨૦,૦૫,૦૦૧ લીધેલ હતી અને ચમનભાઇએ લીધેલ લોનના નિયમ પ્રમાણે લોન ગ્રાહકનું મરણ થાય તો વીમો કુલ ચુકવી આપવાનો છે ચમનલાલને શ્વાસની તકલીફ થતાં પ્રમુખ સાર્થક હોસ્પીટલમાં મેઇન ડેગ્યુ તાવની અસર થતાં એપોલો હોસ્પીટલમાં દાખલ કરેલ હતા ત્યાં તા. ૨૭/ ૧૨/૨૦૨૧ ના રોજ તેમનું અવશાન થતાં વીમા કંપનીએ એવા બહાના હેઠળ કે તેમને અન્ય રોગ હતો તેમ કહી વીમા ચુકવવાની ના પાડી દીધી હતી અને એપોલો હોસ્પીટલે વ્યવસ્થીત કારણો બતાવેલ છતા વીમા કંપનીએ હાથ ઉંચા કરી દીધા હતા જેને કારણે પ્રભાબેન ધાનજાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સને ૨૦,૦૫,૦૦૧ વીમાના તથા ૧૫૦૦૦ માનસીક ત્રાસ અને ૫૦૦૦ પાંચ હજાર એમ કુલ ૨૦,૨૫,૦૦૧ ને ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

