મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકા ફટકાર્યો દંડ
હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો
SHARE









હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો
હળવદની તક્ષશીલા સ્કૂલમાં ધો ૧ થી ૯ અને ધો. ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયેલ હતો, જેમાં મોરબીના યુવા કવિ કવિ જલરૂપ દ્વારા બાળકોને ભગવદ ગીતાના કર્મનો સિદ્ધાંત તેમજ જીવનમાં અભ્યાસ દ્વારા વિકાસ કેવી રીતે કરવો તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું તે ઉપરાંત તેમની પાસે જે સિક્કાઓનું કલેકશન, દેશી રાજા રજવાડાંઓના ફોટાઓનું કલેક્સન, ૮૦ ફુટ કાગળ પર ગીતાજી ટાઈપ કરેલ, તેમજ ગુજરાતના ૨૫૧ કવિઓની ગઝલ ૨૫૧ ફુટ કાગળ પર હસ્તલિખિત પુસ્તક ,તેમજ વિવિધ દેશના રાષ્ટ્ર ધ્વજનું કલેકશન બાળકોએ નિહાળેલ હતું આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશભાઈએ કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

