વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

૫ત્ની પિડિતો માટે જાણવા જેવુ: મોરબીમાં પત્ની પતિ અને સાસરીયાઓને ખોટો ત્રાસ દેતા કોર્ટે છૂટાછેડા કર્યા મંજૂર


SHARE







૫ત્ની પિડિતો માટે જાણવા જેવુ: મોરબીમાં પત્ની પતિ અને સાસરીયાઓને ખોટો ત્રાસ દેતા કોર્ટે છૂટાછેડા કર્યા મંજૂર

પત્નીને પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરી ખોટા કેસો કરવુ ભારે પડ્યું છે મોરબી ફેમીલી કોર્ટે માનસીક ક્રૂરતા માનીને પતિની તરફેણમાં છુટાછેડા મંજુર કરવાનો સિમાચિહન ચુકાદો આપેલ છે.

આ કેસન હકીક્ત જોઈએ તો, પંકજભાઈ સુરેન્દ્રપ્રસાદ રાવલ રહે. વેરાવાળ (સોમનાથ) વાળા તથા તેમના પરીવારના સભ્યો તથા મિત્રો વિરૂધ્ધ શારીરિક માનસીક ત્રાસ અંગેના પત્ની દ્વારા ખોટા અને અસહય આક્ષેપો કરીને, જુદા જુદા ફોજદારી કેસો તથા ફરીયાદો કરેલ હતા જે કેસોમાં કરેલ આક્ષેપો પત્ની સાબિત કરી ન શકતા, મોરબી ફ્રેમીલી કોર્ટમાં, પતિ પંકજભાઈએ પત્નીની સામે છુટાછેડા મેળવવા કેસ કરેલ અને અરજદાર પતિ તરફે રજુ થયેલ પુરાવા તથા અરજદારના વકીલ ચિરાગ કારીઆની ધારદાર દલીલો ધ્યાને લઈ મોરબીની ફેમીલી કોર્ટે પત્ની દ્વારા પતિ વિરૂધ્ધ ક્રૂરતા આચરવામાં આવેલ હોવાનું માની છુટાછેડા મંજુર કરવાનો સિમાચિહન ચુકાદો પતિની તરફેણમાં આપેલ છે આ કેસમાં પતિ પંકજભાઈ રાવલ વતી વકીલ ચિરાગ ડી. કારીઆ અને રવી કે.કારીવા રોકાયેલ હતા.






Latest News