મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

૫ત્ની પિડિતો માટે જાણવા જેવુ: મોરબીમાં પત્ની પતિ અને સાસરીયાઓને ખોટો ત્રાસ દેતા કોર્ટે છૂટાછેડા કર્યા મંજૂર


SHARE

















૫ત્ની પિડિતો માટે જાણવા જેવુ: મોરબીમાં પત્ની પતિ અને સાસરીયાઓને ખોટો ત્રાસ દેતા કોર્ટે છૂટાછેડા કર્યા મંજૂર

પત્નીને પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરી ખોટા કેસો કરવુ ભારે પડ્યું છે મોરબી ફેમીલી કોર્ટે માનસીક ક્રૂરતા માનીને પતિની તરફેણમાં છુટાછેડા મંજુર કરવાનો સિમાચિહન ચુકાદો આપેલ છે.

આ કેસન હકીક્ત જોઈએ તો, પંકજભાઈ સુરેન્દ્રપ્રસાદ રાવલ રહે. વેરાવાળ (સોમનાથ) વાળા તથા તેમના પરીવારના સભ્યો તથા મિત્રો વિરૂધ્ધ શારીરિક માનસીક ત્રાસ અંગેના પત્ની દ્વારા ખોટા અને અસહય આક્ષેપો કરીને, જુદા જુદા ફોજદારી કેસો તથા ફરીયાદો કરેલ હતા જે કેસોમાં કરેલ આક્ષેપો પત્ની સાબિત કરી ન શકતા, મોરબી ફ્રેમીલી કોર્ટમાં, પતિ પંકજભાઈએ પત્નીની સામે છુટાછેડા મેળવવા કેસ કરેલ અને અરજદાર પતિ તરફે રજુ થયેલ પુરાવા તથા અરજદારના વકીલ ચિરાગ કારીઆની ધારદાર દલીલો ધ્યાને લઈ મોરબીની ફેમીલી કોર્ટે પત્ની દ્વારા પતિ વિરૂધ્ધ ક્રૂરતા આચરવામાં આવેલ હોવાનું માની છુટાછેડા મંજુર કરવાનો સિમાચિહન ચુકાદો પતિની તરફેણમાં આપેલ છે આ કેસમાં પતિ પંકજભાઈ રાવલ વતી વકીલ ચિરાગ ડી. કારીઆ અને રવી કે.કારીવા રોકાયેલ હતા.






Latest News