મોરબી જીલ્લામાં 40 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ: કલેક્ટર મોરબી જીલ્લામાં મહાનગરપાલિકા, પાલિકા અને તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગના કાર્યક્રમોનું આયોજન મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન મોરબીમાં પિતાની સ્મૃતિમાં મયુર હોસ્પીટલ ખાતે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ મોરબી: ડેસ્ક યોગા, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે યોગ ધારાસભ્યની જહેમત રંગ લાવી: વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર મંજૂર મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિર યોજાશે


SHARE

















મોરબીમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિર યોજાશે

હાલની પરિસ્થિતિમાં ઝેરી અનાજ, શાકભાજી, ફળ આદિ ખાવાથી ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઇ રહેલ છે. આ બાબતને ગંભીરતાથી લઇને આપણા વડાપ્રધાન  તથા રાજ્યપાલ પણ ચિંતિત છે. અને આ સમસ્યાના નિરાકરણ માટે પ્રાકૃતિક ખેતી માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે. અને પ્રાકૃતિક ખેતી આપણા સ્વાસ્થ્ય  માટે તો જરૂરી છે જ સાથે સાથે જમીન, ગૌમાતા, ખેડૂત, ગામડું અને પર્યાવરણની રક્ષા માટે પણ અનિવાર્ય  છે. 

મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા  તથા આવી ખેતી કરતા લોકોને પ્રોત્સાહન આપવા તથા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રાકૃતિક ખેતી વિષયક શિબિરનું આયોજન જરૂરી છે અને આગામી તા. ૨૧/૩/૨૦૨૪ ને ગુરુવારના રોજ મધૂરમ ફાઉન્ડેશન, મોરબી દ્વારા કૃષિવિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી માટેની શિબિરનું આયોજન કરેલ છે. આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા લોકો ભાગ લઇ શકશે. અને સવારે ૯ થી ૧૨.૩૦ વાગ્યા સુધી આ શિબિર યોજાશે અને તેના માટે રજિસ્ટ્રેશન ૯૪૨૬૨૩૨૪૦૦ ઉપર ફોન કે વોટસએપ દ્વારા કરાવવાનું છે આ શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે અંદાજીત ૬૦ થી ૭૦ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવશે. અને નિષ્ણાંતો દ્વારા નિશુલ્ક માર્ગદર્શન તથા સાહિત્ય આપવામાં આવશે. આત્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ, નિષ્ણાંતો, પ્રાકૃતિક ખેતીના સંયોજક તથા પર્યાવરણ નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. હાજર ખેડૂતોને મધૂરમ ફાઉન્ડેશન  તરફથી દશ પ્રકારના દેશી શાકભાજીનું બિયારણ પણ ફ્રી આપવામાં આવશે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવો જાણવામાં આવશે. અને સ્થળ પર પ્રાકૃતિક કૃષિ તથા અન્ય  ઓર્ગેનિક ઉત્પાદનના વેચાણની વ્યવસ્થા પણ કરવાનું આયોજન છે. તેવું પ્રાણજીવન કાલરીયાએ જણાવ્યુ છે






Latest News