મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારા ડૉ.આંબેડકર ભવન ખાતે નાગપુરનાં મિશનરીઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો


SHARE













ટંકારા ડૉ.આંબેડકર ભવન ખાતે નાગપુરનાં મિશનરીઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

સમસ્ત ભારતભરમાં બૌદ્ધ ધમ્મ અને ફૂલે આંબેડકરી ચળવળને વેગ આપનાર, અનેક બુદ્ધ વિહાર તેમજ આંબેડકર ભવન કે સામાજિક સ્થળો પર લાખોની કિંમતે તથાગત ગૌતમ બુદ્ધ તથા બાબાસાહેબ ડૉ.આંબેડકરની પ્રતિમાઓનું દાન કરીને સમાજને ધમ્મ, શિક્ષણ અને સંગઠન પ્રત્યે પ્રેરણા આપનાર જીંદાદિલ ઈન્સાન દિવંગત સંજય મિશ્રામ સાહેબનાં ધર્મ પત્નિ કલ્પનાબેન મેશ્રામ તથા એમનો મિશનરી પરિવાર નાગપુરથી ટંકારા આવ્યો હતો ત્યારે ટંકારા તાલુકા અનુસુચિત સમાજ દ્વારા એમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. દિવંગત સંજય મેશ્રામનાં પરિવાર પ્રત્યે ઋણ સ્વિકાર કાર્યક્રમ રાખેલ હતો. જેમાં મેશ્રામજીનાં તૈલી ચિત્રને ફુલહાર અર્પણ કરીને, બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. નાગપુરથી આવેલા કલ્પનાબેન મેશ્રામ તેમજ પોરબંદરથી આવેલા ભંતેજી પ્રજ્ઞારત્નજી તથા સા.ન્યાય સમિતિનાં પ્રવાહક અશોકભાઈ ચાવડા, પુનાભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ મેશ્રામ, સંકલ્પ બુદ્ધ વિહારનાં સંયોજક રાજેશભાઈ ચાવડા, મનોજભાઈ ચૌહાણ, દેવેન્દ્ર ભાઈ, રમેશભાઈ પારઘી વગેરે મહાનુભાવો ને શાલ અને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ભંતે પ્રજ્ઞારત્નજીએ બૌદ્ધ ધમ્મ દેશના આપી હતી. અને અશોકભાઈ ચાવડા તેમજ પુનાભાઈ સોલંકીએ પ્રસંગને અનુરૂપ શાબ્દિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમ માટે રમેશભાઈ રાઠોડ, નાગજીભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ પાંચાલ, મહેશભાઈ લાધવા, વિઠ્ઠલભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, મહેશભાઈ સારેસા, હિરાભાઈ જાદવ, એડ.મનશુખભાઈ ચૌહાણ, કૌશિકભાઈ પારિયા, ઉમેશભાઈ ગોહિલ, મોતીભાઈ ચૌહાણ, વિનોદભાઈ પાટડિયા, મહેશભાઈ વરણ, વાલજીભાઈ સોલંકી, હસમુખભાઈ રાઠોડ વગેરે યુવાનો અને વડિલોએ જહેમત ઉઠાવી હતી.








Latest News