મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં વ્યાજખોરની ધરપકડ


SHARE















મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં વ્યાજખોરની ધરપકડ

મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ ચાર વ્યાજખોર સહિત કુલ મળીને સાત શખ્સોની સામે તેના ભાઈને મરવા માટે મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના રવાપર ગામ પાસે ક્રિષ્ના સ્કૂલ સામે લોટસ ૧૫૮ ફ્લેટ નંબર ૨૮ બ્લોક નંબર ૪૦૩ માં રહેતા અનિલભાઈ કુંવરજીભાઈ ગોધવીયા જાતે પટેલ (૩૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા સાત શખ્સોની સામે તેના નાના ભાઈ રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા (૩૫)ને મારવા મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપી દિનેશભાઈ આહિરરાજુભાઈ બોરીચાલાલાભાઇ અને ભાવેશભાઈ ગોધવીયા પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેના ભાઈએ આરોપીઓને રૂપિયા ચૂકવી દીધા હતા છતાં ધાક ધમકી આપીને તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ ફરિયાદીના ભાઈને જયેશભાઈ કાસુન્દ્રાવિકાસભાઈ પડસુંબીયા અને સંજયભાઈ ભરવાડ પાસેથી વેપાર ધંધાના રૂપિયા લેવાના નીકળતા હતા તે રૂપિયા માંગતા તેઓએ સમયસર રૂપિયા નહીં આપીને તેમના ભાઇ ઉપર અસહ્ય માનસિક ત્રાસ આપીને હેરાન કરી તેના ભાઈ રવિને મરવા માટે મજબૂર કર્યો હતો. જેથી ફરિયાદીના ભાઈ રવિ ગોધવીયાએ ગત તા.૨૨-૨ ના રાત્રે આઠેક વાગ્યા પહેલા કોઈપણ સમયે મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જે ગુનામાં પહેલા આગોતરા જામીન લઈને આવેલ આરોપીઓ વિકાસ પડસુંબીયાજયેશ તુલસીભાઈ કાસુન્દ્રા, સંજય રમેશભાઈ ઉર્ફે રૈયાભાઈ રાતડીયા, રાજેશ મેપાભાઈ જારીયા, દિનેશ ગગુભાઈ મકવાણા જાતે આહીર અને ભાવેશ ઉર્ફે ભાવિક ગણેશભાઈ ગોધાવિયાની નિયમ અનુસાર ધરપકડ કરીને પોલીસે કોર્ટનો આગોતરા જામીનનો હુકમ હોવાથી તેને જામીન મુક્ત કર્યા હતા જે ગુનામાં હાલમાં પોલીસે આરોપી રાજેશ ઉર્ફે રાજુ મગનભાઇ ડાંગર જાતે બોરીચા (૩૮) રહે. ખાખરાળા વાળાની ધરપકડ કરેલ છે






Latest News