મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
Morbi Today
મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા સાથે ધામધુમથી ઉજવણી કરાઇ
SHARE
મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા સાથે ધામધુમથી ઉજવણી કરાઇ
મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે ૮ કલાકે ધ્વજા રોહણ સવારે ૧૧ કલાકે મહાઆરતી, બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાયો હતો ત્યાર બાદ સાંજે ૫:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં વેપારીઓ તેની દુકાનોને બંધ રાખીને સહપરિવાર જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવતા શોભાયાત્રા મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી નીકળી હતી અને શ્રી ઝૂલેલાલ જન્મોત્સવને પગલે તમામ સિંધી ભાઈઓ સહપરિવાર જોડાયા હતા









