મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન
મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
SHARE
મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
મોરબીમાં દરવર્ષે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ૪૩ માં દરિયાલાલ પ્રભુના પ્રાગટય દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આરતી, રામાયણ પ્રવચન તેમજ પ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં નગર દરવાજા પાસેની શેરીમાં આવેલ દરિયાલાલ મંદિરે દર વર્ષે દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આ વશે પણ દરિયાલાલ જન્મ જયંતિના દિવસે વરુણ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબીમાં આવેલ દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સર્વે ભાવિકોને લાભ લીધો હતો









