મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ડો.બાબા સાહેબ આંબેડકર જ્યંતી ઉજવાઇ


SHARE















મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ડો.બાબા સાહેબ આંબેડકર જ્યંતી ઉજવાઇ

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે બાબા આંબેડકર સાહેબની ૧૩૩ મી જન્મ જયંતીના ઉપલક્ષે પ્રેરણા રૂપ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બાબા સાહેબના જીવન ચરિત્ર ઉપર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા વક્તવ્ય, નાટક, ગીત રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ બાબા સાહેબના જીવન ઉપર લખાયેલું રાષ્ટ્રપુરુષ ડોક્ટર આંબેડકર (કિશોર મકવાણા લેખિત) પુસ્તકનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મયંકભાઈ રાધનપુરા તેમજ વિવેકભાઈ શુક્લે કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ ,શિક્ષકો તેમજ સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અંતે મતદાન જાગૃતિનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

માર્ગદર્શન સેમિનાર

 

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તા ૧૫ ના રોજ સવારે ૯ થી ૧૧ પથ દર્શક-૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો. ૧૦ પછી શું તેના વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે જેથી ધો.૧૦ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓને આ આ કાર્યક્રમમાં આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News