માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં રામના બેનરને ઢાંકીને ભાજપ-રૂપાલાના બેનર લગાવીને ભગવાનથી પણ મોટા દર્શાવનો હિન પ્રયાસ: કોંગ્રેસ પ્રવકતા


SHARE













મોરબીમાં રામના બેનરને ઢાંકીને ભાજપ-રૂપાલાના બેનર લગાવીને ભગવાનથી પણ મોટા દર્શાવનો હિન પ્રયાસ: કોંગ્રેસ પ્રવકતા

મોરબીમાં ઉમિયા સર્કલ પાસે આગામી રામનવમીને ધ્યાને રાખીને ભગવાન શ્રી રામના બેનર રાખવામા આવ્યા હતા તેને હટાવીને હાલમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપે પરષોત્તમ રૂપાલા અને ભાજપના બેનર લગાડ્યા છે જેથી કરીને ભાજપ અને પરષોત્તમ રૂપાલા ભગવાન કરતાં પણ મોટા છે તેવું ભાજપ વાળા સાબિત કરવા માંગે છે તેવો આક્ષેપ કોંગ્રેસનાં પ્રવક્તાએ કર્યો છે

મોરબીમાં રહેતા કોંગ્રેસ પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, ભાજપ અને તેના નેતાઓ મોટી અને ખોટી ધર્મની વાતો કરી છે અને લોકોને ગુમરાહ કરે છે. આગામી દિવસોમાં રામનવમી હોવાથી આપણા સહુના આદર્શ પ્રભુ શ્રી રામ ભાજપ અને તેનાં નેતાઓના જ ભગવાન હોય તેવું ચિત્ર દર્શાવામાં આવે છે પરંતુ માત્રને માત્ર રામના નામ પર રાજકિય લાભ લેવા માટે થઈને તેનો ઉપયોગ કરતાં હોય તેવું હાલમાં લાગી રહ્યું છે કેમ કે, તેમનું ચાલ, ચરિત્ર અને ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે વારંવાર ભગવાનનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય વાત કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે તેવામાં જાણે કે રામથી પણ તે મોટા હોય એમ ભગવાનને પણ તું કહીને સંબોધ્યા હતા એ વાત ક્યારેય પણ સ્વીકાર્ય ન હોય શકે. તેવામાં મોરબીમાં રામનવમીને ધ્યાને રાખીને ઉમિયા સર્કલ પાસે રામના બેનર લગાવેલ છે હટાવીને ભાજપ અને પરસોતમભાઈના પ્રચાર માટે થઈને ભગવાન રામના બેનર ઉપર પોતાના બેનર લગાડ્યા છે તેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે અને બે મોઢાની વાત કરનાર આ ભાજપને લોકો જાણી ગયા છે અને તેમને ચૂંટણીમાં જરૂર જવાબ આપશે






Latest News