મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે
Breaking news
Morbi Today

મોરબીમાં રામના બેનરને ઢાંકીને ભાજપ-રૂપાલાના બેનર લગાવીને ભગવાનથી પણ મોટા દર્શાવનો હિન પ્રયાસ: કોંગ્રેસ પ્રવકતા


SHARE







મોરબીમાં રામના બેનરને ઢાંકીને ભાજપ-રૂપાલાના બેનર લગાવીને ભગવાનથી પણ મોટા દર્શાવનો હિન પ્રયાસ: કોંગ્રેસ પ્રવકતા

મોરબીમાં ઉમિયા સર્કલ પાસે આગામી રામનવમીને ધ્યાને રાખીને ભગવાન શ્રી રામના બેનર રાખવામા આવ્યા હતા તેને હટાવીને હાલમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપે પરષોત્તમ રૂપાલા અને ભાજપના બેનર લગાડ્યા છે જેથી કરીને ભાજપ અને પરષોત્તમ રૂપાલા ભગવાન કરતાં પણ મોટા છે તેવું ભાજપ વાળા સાબિત કરવા માંગે છે તેવો આક્ષેપ કોંગ્રેસનાં પ્રવક્તાએ કર્યો છે

મોરબીમાં રહેતા કોંગ્રેસ પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, ભાજપ અને તેના નેતાઓ મોટી અને ખોટી ધર્મની વાતો કરી છે અને લોકોને ગુમરાહ કરે છે. આગામી દિવસોમાં રામનવમી હોવાથી આપણા સહુના આદર્શ પ્રભુ શ્રી રામ ભાજપ અને તેનાં નેતાઓના જ ભગવાન હોય તેવું ચિત્ર દર્શાવામાં આવે છે પરંતુ માત્રને માત્ર રામના નામ પર રાજકિય લાભ લેવા માટે થઈને તેનો ઉપયોગ કરતાં હોય તેવું હાલમાં લાગી રહ્યું છે કેમ કે, તેમનું ચાલ, ચરિત્ર અને ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે વારંવાર ભગવાનનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય વાત કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે તેવામાં જાણે કે રામથી પણ તે મોટા હોય એમ ભગવાનને પણ તું કહીને સંબોધ્યા હતા એ વાત ક્યારેય પણ સ્વીકાર્ય ન હોય શકે. તેવામાં મોરબીમાં રામનવમીને ધ્યાને રાખીને ઉમિયા સર્કલ પાસે રામના બેનર લગાવેલ છે હટાવીને ભાજપ અને પરસોતમભાઈના પ્રચાર માટે થઈને ભગવાન રામના બેનર ઉપર પોતાના બેનર લગાડ્યા છે તેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે અને બે મોઢાની વાત કરનાર આ ભાજપને લોકો જાણી ગયા છે અને તેમને ચૂંટણીમાં જરૂર જવાબ આપશે






Latest News