મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનાર વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટાવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તામાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

ભાજપ માટે લાલબતી: મોરબીમાં હોર્ડીંગ બોર્ડમાં પરસોતમ રૂપાલાના ફોટોને કાળી શાહી, મોદી-કમળની સાથે કોઈ ચેડાં નહીં


SHARE













ભાજપ માટે લાલબતી: મોરબીમાં હોર્ડીંગ બોર્ડમાં પરસોતમ રૂપાલાના ફોટોને કાળી શાહી, મોદી-કમળની સાથે કોઈ ચેડાં નહીં

મોરબીમાં સાંજે પરસોતમ રૂપાલા સહિતના ભાજપના મોરબી જિલ્લાને લાગુ પડતાં ચાર ઉમેદવરોની હાજરીમાં રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા ભક્તિનગર સર્કલ પાસે રાતે કોઈએ કાર્યક્રમના જે બેનર લગાવવામાં આવ્યા હતા તેને ફાડી નાખેલ હતા અને ત્યાર બાદ ભાજપના ચારેયું ઉમેદવારોને આવકારવા અને સન્માન કરવા માટે ઠેરઠેર સ્ટેજ બનાવવામાં આવેલ છે ત્યાં હૉર્ડિંગ્સ બોર્ડ મૂક્યા છે તેમજ વીજ પોલમાં પણ બોર્ડ લગાવેલ છે તે બોર્ડમાં મોદી, રૂપાલા અને કમળ નો લોકો મૂકવામાં આવેલ છે જો કે, મોટાભાગના બોર્ડમાં માત્ર રૂપાલાના ફોટો ઉપર કાળી શાહી લગાવવામાં આવી છે જેથી કરીને તંત્ર અને ભાજપની ટિમ હાલમાં દોડતી થઈ ગયેલ છે

મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પ્રચાર માટે એલિ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવે મોરબી જિલ્લાને લાગુ પડતી ચારેય લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર હાજર રહેવાના છે જો કે, મોરબીમાં શનાળા રોડે ભક્તિનાગર સર્કલથી મહારેલી શરૂ કરવાના છે અને ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે સભા યોજવાની છે તેના માટે ભાજપના સમર્થનમા ઠેરઠેર બોર્ડ લગાવવામાં આવેલ છે જો કે,  રૂપાલાના આગમન પહેલા જ રૂપાલાના વિરોધમાં બેનરો રાતે કોઈએ ફાડયા હતા અને ત્યાર બાદ સોમવારે બપોરે ઉમિયા સર્કલથી લઈને સભા સ્થળ સુધી તેઓને આવકરા માટે જે સ્ટેજ બનાવવામાં આવેલ છે ત્યાં મોટા હોર્ડીંગ લગાવવામાં આવેલ છે તેમજ વીજ પોલ ઉપર નાના બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમાં મોટાભાગની જગ્યાએ નરેન્દ્ર મોદી, પરસોતમ રૂપાલા અને ભાજપના નિશાન કમળ સાથેના ફોટો મુકેલ છે તેમાંથી માત્ર રૂપાલાના ફોટો ઉપર કોઈએ બપોરના સમયે કાળી શાહી લગાવી દીધેલ છે જેથી કરીને તંત્ર અને ભાજપની ટિમ હાલમાં દોડતી થઇ ગયેલ છે અને હાલમાં શાહી વાળા બેનરો હટાવીને નવા બેનરો લગાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવેલ છે






Latest News