મોરબી નજીક કારખાનાની કેંટિંગમાં આર્થિક સંક્રમણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું
મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ
SHARE
મોરબી જીલ્લામાં રામનવમીએ નોનવેજનું જીલ્લામાં વેચાણ બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ
આવતી કાલે દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે ત્યાર પહેલા મોરબીમાં મોરબી જિલ્લા હિન્દૂ ઈવા વાહિની, આંતરરાષ્ટ્રીય પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ સંગઠન અમે સર્વે સનાતન હિન્દુ સંગઠન દ્વારા મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શ્રી રામ જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે દર વર્ષે જે રીતે શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આવું જ આયોજન આ વર્ષે પણ મોરબીમાં કરવામાં આવ્યું છે અને હિન્દુ સમાજની આસ્થા અને હિન્દુ સંસ્કૃતિ મુજબ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લામાં હિન્દુ સમાજની લાગણીને ઠેસના પહોંચે તે માટે એક દિવસ મોરબી જીલ્લામાં કોઈપણ જગ્યાએ નોનવેજનું વેચાણ ન થાય તેના માટે જરૂરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે