મોરબીના ખાનપર ગામે ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર અથડાતા આધેડ ઇજાગ્રસ્ત, સારવારમાં
મોરબી તથા આસપાસના વિસ્તારોમાં રામનવમીથી લઈને હનુમાન જયંતિ સુધી વિહીપ-બજરંગ દળ દ્વારા મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
SHARE
મોરબી તથા આસપાસના વિસ્તારોમાં રામનવમીથી લઈને હનુમાન જયંતિ સુધી વિહીપ-બજરંગ દળ દ્વારા મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
શ્રી રામ નવમીના ઉત્સવના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહીની સહૂત તમામ હિન્દુ સંગઠનો દ્વારા મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડના જવાબદાર વ્યકિતઓ દ્વારા ૧૦ દિવસ સુધી એટલે કે તા.૧૩-૪ થી ૨૩-૪ હનુમાન જયંતિ સુધી મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોના મંદિરોમાં રામોત્સવ ઉજવાઈ રહ્યો છે.જેમાં મોરબીની આસપાસના મંદિરો ખાતે મહાઆરતી તેમજ ત્યાંના લોકો સાથે પરિચય તથા સત્સંગના કાર્યક્રમ ચાલી રહ્યા છે.ઉપસ્થિત ભક્તોને વિહીપ વિશેની માહિતી આપીને તથા લોકોને પરિષદ તથા પરિષદના કાર્યોમા સહભાગી થવા પ્રેરણા આપી રહ્યા છે.વિહીપ અને બજરંગદળના તમામ કાર્યકર બંધુ-ભગીનીઓ સર્વ સનાતની હિંદુ સંગઠન મોરબી દ્વારા જે રામ ભગવાનની ભવ્ય વિજય યાત્રા નીકળવા જઈ રહી છે.તેમાં બહોળી સંખ્યામાં જોડાશે.સાથે મોરબીના તમામ હિંદુ સનાતની ભાઈઓ-બહેનો પણ શોભીયાત્રામાં જોડાય તેવી વીહીપ દ્રારા અપીલ કરવામાં આવી હતી









