મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા-મહાઆરતીમાં ધારાસભ્ય સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા


SHARE













મોરબીમાં રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા-મહાઆરતીમાં ધારાસભ્ય સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા

રામનવમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેરમાં પણ રામનવમી નિમિતે સર્વ હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા અને મહાઆરતીના કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા

મોરબીમાં રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં અને ગામોગામ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં સર્કિટ હાઉસથી બપોરે ચાર વાગ્યેથી શોભાયાત્રાનું શરૂ કરવામાં આવી હતી અને આ શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા નામ આપવામાં આવ્યું હતું અને વિજય યાત્રા સર્કિટ હાઉસથી શરૂ કરીને મહારાણા પ્રતાપ સર્કલશક્તિ ચોકત્રિકોણ બાગનવાડેલા રોડજુના બસ સ્ટેશનરામ ચોકશનાળા રોડનવા બસ સ્ટેશનબાપા સિતારામ ચોકએવન્યુ પાર્કસીતા ચોકચકીયા હનુમાનજીગાંધી ચોકશાક માર્કેટ ચોકનહેરૂ ગેઈટગ્રીન ચોક તઈ દરબારગઢ રામ મહેલ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યાં રામ મહેલ મંદિરે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી આ શોભાયાત્રા અને મહાઆરતીમાં સનાતની હિન્દુ સંગઠનના હોદેદારો, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા આ શોભાયાત્રામાં રામનો રથ, નાસિક ઢોલ સહિતના આકર્ષણો રાખવામા આવ્યા હતા અને મોરબીના નહેરુગેઈટના ચોકમાં લાઈવ ઓરકેસ્ટ્રાનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને ખાસ કરીને શોભાયાત્રામાં યુવાનો સહિતના ભગવા ધ્વજ અને કેસરી ઝભ્ભા પહેરીને આવ્યા હતા જેથી કરીને મોરબીમાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો અને ઠેરઠેર શોભાયાત્રાનું જુદાજુદા સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા








Latest News