હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિરાધારોને અયોધ્યા દર્શન કરાવવાનો સંકલ્પ


SHARE













મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિરાધારોને અયોધ્યા દર્શન કરાવવાનો સંકલ્પ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રામનવમી નિમિતે એક સંકલ્પ લેવામાં આવ્યો છે. અને આ વર્ષ દરમિયાન સમયાંતરે મોરબીના ૫૦૦ નિરાધાર લોકો માટે અયોધ્યામાં રામ ભગવાનના દર્શન માટે નિશુલ્ક લઈ જવામાં આવશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ૫૦૦ વર્ષના લાંબા સંઘર્ષ બાદ સનાતન હિન્દૂ ધર્મના પાલનહાર અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામલલ્લા તેમની પાવન જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન થતા આખા દેશમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. દેશના દરેક લોકોને ભગવાન રામના દર્શન કરવાની અનેરી ઈચ્છા હોય છે ત્યારે ૫૦૦ નિરાધારોની ભગવાન રામની ભક્તિ કરવાની ઈચ્છા મનની મનમાં જ ન રહી જાય તે માટે અયોધ્યામાં શ્રીરામલલ્લાના દર્શન માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તેઓને લઈ જવામાં આવશે તેવો રામનવમીએ સંકલ્પ કરવામાં આવેલ છે અને નિરાધાર લોકોની યાદી તૈયાર કરી તેમને સંપૂર્ણ ફ્રી માં અયોધ્યા દર્શન કરવા લઈ જવામાં આવશે. અને તેના માટે રજિસ્ટ્રેશન સહિતની તારીખો અને પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.






Latest News