વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિરાધારોને અયોધ્યા દર્શન કરાવવાનો સંકલ્પ


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિરાધારોને અયોધ્યા દર્શન કરાવવાનો સંકલ્પ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રામનવમી નિમિતે એક સંકલ્પ લેવામાં આવ્યો છે. અને આ વર્ષ દરમિયાન સમયાંતરે મોરબીના ૫૦૦ નિરાધાર લોકો માટે અયોધ્યામાં રામ ભગવાનના દર્શન માટે નિશુલ્ક લઈ જવામાં આવશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ૫૦૦ વર્ષના લાંબા સંઘર્ષ બાદ સનાતન હિન્દૂ ધર્મના પાલનહાર અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામલલ્લા તેમની પાવન જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન થતા આખા દેશમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. દેશના દરેક લોકોને ભગવાન રામના દર્શન કરવાની અનેરી ઈચ્છા હોય છે ત્યારે ૫૦૦ નિરાધારોની ભગવાન રામની ભક્તિ કરવાની ઈચ્છા મનની મનમાં જ ન રહી જાય તે માટે અયોધ્યામાં શ્રીરામલલ્લાના દર્શન માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તેઓને લઈ જવામાં આવશે તેવો રામનવમીએ સંકલ્પ કરવામાં આવેલ છે અને નિરાધાર લોકોની યાદી તૈયાર કરી તેમને સંપૂર્ણ ફ્રી માં અયોધ્યા દર્શન કરવા લઈ જવામાં આવશે. અને તેના માટે રજિસ્ટ્રેશન સહિતની તારીખો અને પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.






Latest News