મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને કેમ મારી જાણ કરે છે તેવું કહીને આધેડને બે શખ્સોએ માર માર્યો


SHARE













મોરબીમાં પોલીસને કેમ મારી જાણ કરે છે તેવું કહીને આધેડને બે શખ્સોએ માર માર્યો

મોરબીના રવાપર ઘુલડા રોડ ઉપર રહેતા આધેડને કેમ મારી પોલીસને કેમસજાણ કરે છે તેવું કહીને તે બાબતે આધેડ સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ત્યારબાદ ઢીકા પાટુનો અને લાતો મારીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ઓમકાર હાઇટ્સ બ્લોક નંબર 303 માં રહેતા નીપુલભાઈ પ્રવીણભાઈ ઓઝા જાતે બ્રાહ્મણ 52 એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રઘો મેરજા રહે. રવાપર રેસીડેન્સી મોરબી અને નવીનભાઈ રહે મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી રઘો મેરજાએ કેમ મારી પોલીસને જાણ કરે છે તેવું કહીને તે બાબતે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકા પાટુ અને લાતો વડે માર માર્યો હતો તેમજ આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.વી. ચાવડા ચલાવી રહ્યા છે








Latest News