આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભાર ઉનાળે ડેમમાંથી પાણી છોડશે !:  ૨૧ ગામને એલર્ટ કર્યા 


SHARE













મોરબી જીલ્લામાં ભાર ઉનાળે ડેમમાંથી પાણી છોડશે !:  ૨૧ ગામને એલર્ટ કર્યા 

મોરબી નજીકના જુના સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ-૩ ડેમમાં હાલમાં પાણી ભરેલ છે અને તે ડેમમાં રિપેરિંગ કામ કરવાનું છે જેથી કરીને ડેમનું પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને તા૨૬ ના રોજ સવારે આઠ વાગ્યાથી પાણી છોડવામાં આવશે જેથી કરીને મોરબી અને માળીયાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

સામાન્ય રીતે ચોમાસા પહેલા ડેમમાં રિપેરિંગ કામ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીના મચ્છુ-૩ ડેમમાં રિપેરિંગ કામ કરવાનું છે જેથી કરીને તા ૨૬ ને શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યેથી ડેમમાં રહેલ પાણીને એક દરવાજો ખોલીને નદીમાં છોડવાનું નક્કી કરવામાં આવ્યું છે જેથી કરીને ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા અને માળિયાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મિ.), હરીપર અને ફતેપર ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે અને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે






Latest News