મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળી જઈને યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળી જઈને યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપર વિસ્તારમાં રહેતા ભરવાડ યુવાને તેના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું અને આ બનાવની પોલીસમાં જાણ થતા પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરતા સામે આવ્યુ હતુ કે મૃતકને કેન્સરની બીમારી હોય અને તે બીમારીથી કંટાળી ગયો હોય તેણે અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નિપજેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપર વિસ્તારમાં રહેતા રવિભાઈ લાલજીભાઈ બાંભવા જાતે ભરવાડ નામના ૨૬ વર્ષના યુવાને તેના ઘરે તા.૭-૫ ના રાત્રી દરમિયાન ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ બાદ મૃતકના ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હોસ્પિટલના તબીબો દ્વારા બનાવની પોલીસને જાણ કરાઈ હતી.જેથી પોલીસે આ બનાવની નોંધ કરી હોય અને આ કેસની તપાસ જે.જે.ડાંગર ચલાવી રહ્યા હોય તેઓ સાથે વાત કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક રવિભાઈ બાંભવાને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી હતી અને તેની દવા ચાલુ હતી જોકે તેઓ બીમારી અને દવાથી કંટાળી ગયા હોય તેઓએ અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નીપજેલ છે.

ભાઈએ માર માર્યો
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા દેવકરણભાઈ માલાભાઈ (૩૫) નામના યુવાનને તે મોરબીના લાલતર ગામ પાસે આવેલ સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ભાઈ રસિકભાઈએ ધોકા પડે માર મારતા ઈજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે  




Latest News