મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરાતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની રમેશભાઈ રબારીએ કરી માંગ


SHARE













મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરાતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની રમેશભાઈ રબારીએ કરી માંગ

ચોમાસા પછી મોરબી શહેર અને જીલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો પાણીજન્ય રોગચાળાની જપેટમાં આવ્યા છે જેથી કરીને મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની મોરબી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે.

મોરબીમાં રહેતા કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ હાલમાં જિલ્લા કલેક્ટર અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી તથા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે તે પાણી દૂષિત હોવાના લીધે હાલમાં ઘરે ઘરે પાણીજન્ય રોગચાળો છે હમણા વરસાદના પાણી સાથે નદીના પાણીમાં સિરેમિકસપેપર મીલ સહિતના એકમોના કચરો નદીના વરસાદી પાણી સાથે ડેમ અને ફિલ્ટર હાઉસમાં આવેલ છે અને ફિલ્ટર કર્યા પછી પાણી વિતરણ કરવામાં આવે છે તો પણ પાણીનાં કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળેલ છે તેવા સંજોગોમાં ડેમ અને ફિલ્ટર હાઉસમાંથી પાણીના નમૂના લેવા જોઈએ અને લોકોને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે જાહેર જનતાના હિતાર્થે તેઓએ મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. 






Latest News