મોરબી, માળીયા અને હળવદ તાલુકાને અનાવૃષિટગ્રસ્ત જાહેર કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરાતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની રમેશભાઈ રબારીએ કરી માંગ
SHARE
મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરાતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની રમેશભાઈ રબારીએ કરી માંગ
ચોમાસા પછી મોરબી શહેર અને જીલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો પાણીજન્ય રોગચાળાની જપેટમાં આવ્યા છે જેથી કરીને મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની મોરબી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે.
મોરબીમાં રહેતા કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ હાલમાં જિલ્લા કલેક્ટર અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તથા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે તે પાણી દૂષિત હોવાના લીધે હાલમાં ઘરે ઘરે પાણીજન્ય રોગચાળો છે હમણા વરસાદના પાણી સાથે નદીના પાણીમાં સિરેમિકસ, પેપર મીલ સહિતના એકમોના કચરો નદીના વરસાદી પાણી સાથે ડેમ અને ફિલ્ટર હાઉસમાં આવેલ છે અને ફિલ્ટર કર્યા પછી પાણી વિતરણ કરવામાં આવે છે તો પણ પાણીનાં કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળેલ છે તેવા સંજોગોમાં ડેમ અને ફિલ્ટર હાઉસમાંથી પાણીના નમૂના લેવા જોઈએ અને લોકોને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે જાહેર જનતાના હિતાર્થે તેઓએ મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની માંગ કરી છે.