મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બોલાચાલી કરનારાઓને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિઓના માથા ફાડી નાખ્યા: ત્રણ શખ્સોની ધરપકડ


SHARE















મોરબી નજીક કારખાનામાં બોલાચાલી કરનારાઓને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિઓના માથા ફાડી નાખ્યા: ત્રણ શખ્સોની ધરપકડ

મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમા આવેલ સાયનટેક કારખાનામાં પ્લાયવુડની શીટો મુકવા બાબતે ત્યાં રહેતા એક વ્યક્તિની સાથે બોલાચાલી થયેલ હતી જેથી કરીને બોલાચાલી કરનારા ત્રણ શખ્સોને સમજાવવા માટે ગયેલ ત્રણ વ્યક્તિ ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માથામાં લાકડી વડે માર મારતા એક વ્યક્તિને હેમરેજ થઈ ગયેલ છે અને બીજા બે વ્યક્તિને પણ માથામાં ટાંકા આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓએ સારવાર લીધા બાદ તે પૈકીનાં એક ઇજાગ્રસ્તે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ આસામના સીરાંગ તાલુકાનાં એકનંગબીશ્નાપુરના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમા આવેલ સાયનટેક કારખાનાની કોલોનીમા રહેતા પ્રાણક્રિશ્નામંડલ પ્રભુચંદ્રમંડલ મંડલ જાતે બંગાળી (૧૯) એ હાલમાં ધિરજકુમાર હરેન્દ્રરાય યાદવ (૨૧) રહે. હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાળા મૂળ રહે બીહાર, હરીઓમ ભીમ યાદવ (૩૩) રહે. હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાળા મુળ રહે. બીહાર, બ્રિજેશ યાદવ ભીમ યાદવ (૨૯) રહે. હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાળા મૂળ રહે.બીહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમા આવેલ સનટેક કારખાનામાં તે રહે છે અને ત્યાં આરોપી ધિરજકુમારને સાહેદ રાજકુમાર ભરતરાય યાદવ સાથે પ્લાયવુડની શીટો મુકવા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ ફરીથી આરોપી ધિરજકુમાર સહિતના ત્રણેય આરોપીઓએ સાહેદ રાજકુમાર યાદવ સાથે બોલાચાલી કરી હતી અને તેઓને સમજાવવા માટે ત્યા ફરીયાદી તેમજ સાહેદ રાજાભાઇ બકુલભાઇ બરમન અને સાધુ મંડલ ગયા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ફરીયાદી સાથે તથા સાહેદોની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ ત્યા પડેલ લાકડાના ધોકા વડે ત્રણેય આરોપીઓએ માર માર્યો હતો જેથી ફરીયાદીને માથામાં બે ટાકા આવેલ તથા સાહેદ રાજા બકુલભાઇ બરમનને માથાના ભાગે આરોપી ધિરજકુમાર લાકડાનો ધોકો માર્યો હતો અને બીજા બને આરોપીઓએ પણ ધોકા વડે આડે ધડ માર મારેલ હોય માથામાંથી લોહી નીકળેલ હતું અને માથામાં હેમરેજ થવાથી ગંભીર ઇજા થયેલ હતી તેમજ સાધુ મંડલને પણ માથાના ભાગે લાકડાના ધોકા વડે ત્રણેય આરોપીઓએ માર માર્યો જેથી તેને પણ માથામાં ટાકા આવ્યા હતા અને ત્રણેય આરોપીઓ ઝગડો કરીને નાશી ગયેલ હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News