મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર પીલુડી ગામના યુવાને મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું


SHARE















મોરબીના વાઘપર પીલુડી ગામના યુવાને મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામના રહેવાસી યુવાને મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની બોડીને પાણીમાંથી કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેતા દિલીપભાઈ નરસીભાઈ એરણીયા જાતે પટેલ (૪૬)  એ મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને  આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ પ્રફુલભાઈ નરસીભાઈ એરણીયા જાતે પટેલ (૪૧) રહે હાલ ઘૂટું તાલુકો મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મૃતક યુવાનના ભાઈ પ્રફુલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મચ્છુ ડેમમાંથી તેના ભાઈની બોડી મળી હતી તેની સાથે પોલિસેને તેનું આધાર કાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યું હતું જેના આધારે તેની ઓળખ કરીને પોલીસે તેની પાસે પહોંચી હતી ત્યારે તેને આપઘાતના આ બનાવ વિશે જાણ થઈ હતી અને તેના ભાઈ દિલીપભાઈ છેલ્લા ઘણા સમયથી રખડતું ભટકતું જીવન જીવતા હતા જોકે તેને ક્યા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે.






Latest News