મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટી તેમજ કુલીનગરમાં પાણી ન આવતા લોકો દ્વારા કરાઇ રજૂઆત, પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવાની અપાઇ ખાત્રી
SHARE
મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટી તેમજ કુલીનગરમાં પાણી ન આવતા લોકો દ્વારા કરાઇ રજૂઆત, પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવાની અપાઇ ખાત્રી
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં છેલ્લા દસ-પંદર દિવસથી અનિયમિતપણે પાણી આવતું હોય રજૂઆત કરવા માટે લોકો આવ્યા હતી.એક તો પાણી કાપના લીધે એકાતરે પાણી આપવામાં આવે છે અને તે પણ વ્યવસ્થિત રીતે પાણી મળતું ન હોવાથી લોકોની ધીરજ ખુટી હતી અને રજૂઆત કરવા માટે બપોરના દોઢ વાગ્યાના સમય દરમિયાન લોકો મોરબી પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને પાણી માટે રજૂઆત કરી હતી.તે રીતે જ પાલિકા કચેરી ખાતે વીસીપરા વિસ્તારમાંથી કુલીનગરમાં રહેતા લોકો પણ પાણી માટેની રજૂઆત કરવા માટે મોરબી પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને તેમના વિસ્તારમાં પણ અપૂરતું પાણી આવતું હોય તે મુદ્દે રજૂઆતો કરી હતી.જે રજૂઆતોને પાલીકાના હેડ કલાર્ક કનૈયાલાલ કાલરીયાએ સાંભળી હતી અને પાલિકાના સ્ટાફ દ્વારા યોગ્ય પગલી લેવામાં આવશે તેવી લોકોને ખાત્રી આપવામાં આવી હતી.