મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટી તેમજ કુલીનગરમાં પાણી ન આવતા લોકો દ્વારા કરાઇ રજૂઆત, પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવાની અપાઇ ખાત્રી


SHARE















મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટી તેમજ કુલીનગરમાં પાણી ન આવતા લોકો દ્વારા કરાઇ રજૂઆત, પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવાની અપાઇ ખાત્રી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં છેલ્લા દસ-પંદર દિવસથી અનિયમિતપણે પાણી આવતું હોય રજૂઆત કરવા માટે લોકો આવ્યા હતી.એક તો પાણી કાપના લીધે એકાતરે પાણી આપવામાં આવે છે અને તે પણ વ્યવસ્થિત રીતે પાણી મળતું ન હોવાથી લોકોની ધીરજ ખુટી હતી અને રજૂઆત કરવા માટે બપોરના દોઢ વાગ્યાના સમય દરમિયાન લોકો મોરબી પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને પાણી માટે રજૂઆત કરી હતી.તે રીતે જ પાલિકા કચેરી ખાતે વીસીપરા વિસ્તારમાંથી કુલીનગરમાં રહેતા લોકો પણ પાણી માટેની રજૂઆત કરવા માટે મોરબી પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને તેમના વિસ્તારમાં પણ અપૂરતું પાણી આવતું હોય તે મુદ્દે રજૂઆતો કરી હતી.જે રજૂઆતોને પાલીકાના હેડ કલાર્ક કનૈયાલાલ કાલરીયાએ સાંભળી હતી અને પાલિકાના સ્ટાફ દ્વારા યોગ્ય પગલી લેવામાં આવશે તેવી લોકોને ખાત્રી આપવામાં આવી હતી.






Latest News